અમરેલી

ખાંભા આઈ.ટી.આઈ. ખાતે ૨૮મી નવેમ્બરે રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર વિવિધ એકમો માટે એજન્ટમહિલા બીમા સખી એજન્ટ (મહિલાઓ માટે જ )મશીન ઓપરેટરઆસી.બ્રાંચ મેનેજર (માર્કેટિંગ)બ્રાંચ મેનેજર(માર્કેટિંગ) જગ્યાઓ માટે ૧૮ થી ૭૦ વર્ષની વયમર્યાદા માટે ધો.૧૦ થી ઓછું તેમજ ધો.૧૦ પાસ / ધો.૧૨ પાસ /ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે ઉમેદવારો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ. કેમ્પસ) ખડધાર રોડ ખાંભા ખાતે તા.૨૮/૧૧/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.

પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુંબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup  પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર Login કરીને પોર્ટલ પર જોબફેરના મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીનો સંપર્ક કરવાનો રહેશેતેમ જિલ્લા રોજગારી અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યું છે.

Related Posts