ભાવનગર શિશુવિહાર બુધસભાની 2402 ની બેઠક 29/7/2026 ના રોજ શિશુવિહાર ખાતે યોજાઈ. જેમાં ગુજરાત સાહિત્યપરિષદમાંથી કવયીત્રી શ્રી રક્ષા શુક્લ તથા કવિ શ્રી પ્રણવ ઠાકર ઉપસ્થિત રહ્યા. શ્રી પ્રણવ ઠાકર અને શ્રી રક્ષા શુક્લ એ પોતાની વિવિધ રચનાઓ સુંદર રીતે રજૂ કરી. બંનેની વિશેષતા એ પણ રહી કે અમુક રચનાઓ નું ગાન પણ કર્યું ..એક સારા ગાયક કલાકાર હોય તેવી રીતે બંને કવિઓએ પ્રસ્તુતિ કરી. અંતમાં કવિ શ્રી વિનોદ જોશી એ આજના બંને કવિઓની પ્રસ્તુતિ સંદર્ભે સુંદર સંકલન અને સમાપન કર્યું. આજની બુધસભામાં 45 જેટલા કવિઓ અને ભાવકો ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જીત ચુડાસમાએ કર્યું…
મૃદુ હદય નો મેળાવડો શિશુવિહાર બુધસભાની 2402 ની બેઠક યોજાય


















Recent Comments