તા. ૧૪ ઓગસ્ટના રોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમરેલીના અનુકંપા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ “ટુ વ્હીલર ફોર ટુ” (Two Wheeler For Two) અભિયાનને શહેરમાં ખૂબ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. અભિયાનનો વિચાર અત્યંત સરળ છે— બાઇક કે સ્કૂટર પર એકલા જઈ રહ્યા હો, તો તમારી ખાલી સીટ કોઈ જરૂરિયાતમંદ રાહદારી સાથે વહેંચો. આ અભિયાનમાં સ્વયંભૂ જોડાયેલા નાગરિકો હવે રસ્તે પગપાળા જતા લોકોને સામેથી લિફ્ટની ઓફર કરી રહ્યા છે અને પોતાના નાના પ્રયાસથી સહકાર, સૌહાર્દ અને માનવતાની ભાવના પ્રસરાવી રહ્યા છે. *ખાસ વાત એ છે કે હવે અમરેલીના રાહદારીઓ પણ “ટુ વ્હીલર ફોર ટુ”નું લાલ-પીળું સ્ટીકર લગાવેલું વાહન જોઈને વિના સંકોચે લિફ્ટ માંગી રહ્યા છે.* અભિયાન શરૂ થયાને હજુ માત્ર એક જ મહિનો થયો છે, પરંતુ આ ટૂંકા ગાળામાં અનુકંપા ફાઉન્ડેશનના સભ્યો દ્વારા ૨૫૦થી પણ વધુ લોકોને બાઇક કે સ્કૂટર પર લિફ્ટ આપવામાં આવી છે. આમ, એક નાનકડું સ્ટીકર હવે માત્ર અભિયાનની ઓળખ નથી રહ્યું—*તે અમરેલીના રસ્તાઓ પર “મારી ખાલી સીટ કોઈના કામ આવી શકે” એવી સુંદર સામાજિક ભાવનાનું પ્રતીક બની રહ્યું છે.* *એક વાહન… બે મુસાફર…* *અને વચ્ચે જોડાતો માનવ


















Recent Comments