દામનગર હાવતડ ગ્રામ પંચાયત ના સરપંચ ને બળાત્કાર ના ગંભીર ગુના સબબ અધ પતન ના પૂરતા કારણો થી અમરેલી જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર દ્વારા હોદા પર થી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર પાસે આવેલ હાવતડ ગામના સરપંચ રાજેશગીરી ચંદુગીરી ગોસાઈની સામે દામનગર પોલીસ માં દાખલ થયેલ બળાત્કાર ની ગંભીર ફરિયાદ સબબ સરપંચએ નૈતિક અધઃપતન ગણવાને પૂરતા કારણો જણાયેલ હોય ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૯(૧) ની જોગવાઈ તળે તા. ૨/૧/૨૦૨૧ ના હુકમથી અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે સરપંચ હાવતડને તાત્કાલિક અસરથી હોદ્દા ઉપરથી ફરજ મોકૂફ કરતો હુકમ કરેલ છે
Recent Comments