અમરેલીમાં અમરેલી શહેર સમસ્ત બ્રહ્મસમાજનું સ્નેહમિલન શશાંક મહાજન પાર્ટીપ્લોટ ખાતે યોજાયું હતું.
અમરેલીમાં અમરેલી શહેર સમસ્ત બ્રહ્મસમાજનું સ્નેહમિલન શશાંક મહાજન પાર્ટીપ્લોટ ખાતે યોજાયું હતું. નુતનવર્ષના શુભારંભે લગ્નગાળો હોવાના કારણે સમાજના લોકો મળી શક્યાં ના હોવાથી અમરેલી શહેરના સૌ ભુદેવોએ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્નેહમિલનમાં જ્ઞાતિનાં વિકાસ અને પ્રગતી માટે, બ્રહ્મ સમાજના જરૂરીયાતમંદ લોકો ને મદદ કરવા અંગે, બ્રહ્મ સમાજ માટે કામ કરતા લોકોને પ્રોત્સાહિત કરવા જેવા અનેક મુદાઓ પર ચર્ચા વિર્મશ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અમરેલી શહેર સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ રાજનભાઈ જાની, અમરેલી શહેર સમસ્ત બ્રહ્મસમાજ મહામંત્રી મુકેશભાઈ તેરૈયા તેમજ જ્ઞાતિનાં આગેવાનો, શહેરની બ્રહ્મસમાજની અલગ અલગ પાંખના હોદ્દેદારો તેમજ બ્રહ્મ સમાજની મહિલા પાંખ પણ ઉપસ્થિત રહી હતી. સ્નેહમિલનમાં સ્વરુચિ ભોજન પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
Recent Comments