’પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન’ કે જે દર માસની ૯ (નવ) અને ૨૪ (ચોવીસ) તારીખે ઉજવવામાં આવે છે. તે અંતર્ગત આજરોજ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં ’પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન’ની ઉજવણી કરાઈ હતી. આજરોજ જીલ્લાના ઉમરાળા તાલુકામાં ટીંબી હોસ્પીટલ ખાતે ૧૫૪ અને સી.એચ.સી. ઉમરાળા ખાતે ૨૪ સગર્ભા બહેનોની મેડિકલ તપાસ કરાઈ હતી. સુરક્ષિત અને સશક્ત બાળક માટે સુરક્ષિત માતૃત્વ પણ એટલું જ અગત્યનું છે.
તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ’પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન’ની ઉજવણી કરીને સ્વસ્થ અને તંદુરસ્ત માતા માટેના આરોગ્યલક્ષી પગલાઓ ઉઠાવવામાં આવ્યાં હતાં. માતા જેટલી આરોગ્યપ્રદ અને તંદુરસ્ત હશે તેટલું જ બાળક સશક્ત, તંદુરસ્ત અને મજબૂત હશે. આ સંદર્ભમાં તાલુકાની જોખમી કક્ષામાં આવતી માતાઓની આરોગ્યલક્ષી ચકાસણી, તપાસ અને નિદાન કરીને જરૂરી દવાઓ સાથે જરૂરી સારવાર પુરી પાડવામાં આવે છે. આ ઉપરાંત સગર્ભા બહેનોને આયર્ન અને કેલ્શીયમની ગોળીઓ આપવામાં આવી હતી.
ભાવનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ચંદ્રીમણીકુમાર દ્વારા ઉમરાળા તાલુકાની ટીંબી હોસ્પિટલ અને સી.એચ.સી. ઉમરાળા ખાતે સગર્ભા બહેનોની મેડિકલ તપાસ દરમ્યાન મુલાકાત લઈ ’પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન’ની ઉજવણીની કામગીરીનું મોનીટરીંગ કરવામાં આવેલ હતી. ’પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન’ને સફળ બનાવવાં ભાવનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જીલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી, ઉમરાળાના તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, મેડિકલ ઓફિસરશ્રી, તાલુકા હેલ્થ વિઝિટર, ફિમેલ હેલ્થ વર્કર, આશા અને આશા ફેસીલીટેટરોએ જહેમત ઉઠાવી હતી.
Recent Comments