અમરેલી

સાવરકુંડલા અખેડાના પુલની રેલિંગ ન હોવાથી પુલ જોખમી બન્યો

 સાવરકુંડલા ના અખેડા પાસે આવેલો નાવલી નો પુલ હાલ જોખમી બન્યો છે અહીં   તંત્ર તરફ થી નવી રેલિંગ બની રહી છે જે રેલિંગ એક તરફ ફિટ ન કરી હોવાના કારણે જોખમ ઉભું થયું છે નાવલી ના પુલ પર એક તરફ  નદી છે જે 20 ફૂટ ઊંડાઈ છે જેથી અહીં ધારી જુનાગઢ હાથસની રોડ પર જતાં રાહદારીઓને પારવાર મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યોં છે અહીં આ મુખ્ય પુલ પર સરકારી તંત્ર દ્વારા અધૂરું કામ મુશ્કેલી ઉભી કરી રહી છે. એક તરફ તૂટેલી રેલિંગ અને એક તરફ રેઢિયાળ ઢોર નો અડીંગો જમાવેલ હોવાથી રાહદારી ઓ વાહન ચાલકો ને ભારે તકલીફ થઈ રહી છે જેથી તંત્ર ની બેદરકારી અહીં સામે આવી છે ત્યારે જો કોઈ અકસ્માતે નીચે પડશે તો જવાબદાર કોણ રહશે તે એક સવાલ છે જેથી તાકીદે અહીં રેલિંગ ફિટ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Related Posts