નંદીગ્રામ સોસાયટી, જેમાં છેલ્લા આઠ – દસ માસ થી શાળા નંબર ૧૦ થી ગુરુકુળ સ્કૂલ સુધી માં લગભગ ૪ થી ૫ વાર પીવા લાયક મહીપરિએજ ના પાણી માં ગટર નું દુષિત પાણી ભળી જાય છે , અને ગટર ના ગંદા પાણી લોકોના ઘરમાં પરત આવી રહ્યા છે , જે બાબત અમો આ વિસ્તારના સ્થાનીક રહીશો દ્વારા અનેક વખત રજૂઆતો કરી છે , એલોકો દ્વારા કામચલાવ કાર્ય કરી ચાલવામાં આવે છે , પરંતુ જ્યાં ગટર માં ભળતી પાઈપ લાઈન અવાર નવાર સાંધી ને જતા રહે છે, ક્યારેય નવી પાઈપ લાઈન ના નાખવાથી અવાર નવાર આ પ્રશ્ન ઉપસ્થિત થવા પામે છે અને હાલની પરીસ્થિતિ મુજબ પીવા લાયક પાણીમાં આ દુષિત પાણી માં ભળવા થી આ પ્રદુષિત થઇ રહ્યું છે જે હાલ દુષિત પાણી લોકો ના સ્વાસ્થ્ય ની પણ હાનિ પહોંચાડે આવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે , આ વિસ્તારમાં રહેતા રહીશો માં નાના ભૂકેલાંઓ અને વ્યોવૃદ્ધ લોકોમાં આરોગ્ય ને હાની પહોચે છે અને માંદગી ની અસર થવા પામી રહી છે.
સાશિત નગરપાલિકા ની ફરજ માં લોકોને આરોગ્ય માટેની યોગ્ય વ્યવસ્થા કરવાની હોય છે તેમ છતાં તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમય થી લોકો મળી રહેલ દુષિત અને ગંદા પાણી થી આરોગ્ય માટે જોખમ રહેલું છે. ત્યારે તંત્ર દ્વારા આ અગેની કોઈ ઘટિત કાર્યવાહી કરવામાં આવતી નથી, તંત્ર ઘોરનિંદ્રા માં હોય, માત્ર ઔપચારિકતા મુજબ માત્ર પીવાની પાઈપ લાઈન અવાર નવાર તૂટી જવા છતાં માત્ર રીપેરીંગ કરવામાં આવે છે અને થોડા સમય બાદ ફરી આ પ્રશ્ન ઉભો થવા પામે છે ત્યારે તંત્ર દ્વારા નવી પાઈપ લાઈન નાખવામાં આવતી નથી, કે લોકોને પીવા લાયક શુદ્ધ પાણી મળતું નથી , જેથી જો આ વિસ્તારમાં દિન ૭ માં નવી પાઈપ લાઈન નાખવામાં નહિ આવે અને લોકોને શુદ્ધ પાણી પહોચતું કરવામાં નહિ આવે તો સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી દિવસો માં આંદોલત્મક કાર્યક્રમો કરવામાં આવશે તેમની તંત્રે જાણ કરવામાં આવી અને જેમાં સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી વિજયભાઈ (કનુભાઈ) ડોડીયા, કલ્પેશભાઈ કાનાણી, અજયભાઈ હરસોરા, લાલભાઈ વાળા, ભરતભાઈ પટેલ, મેહુલભાઈ હીરપરા, અરજણભાઈ બોરડ, મુકેશભાઈ ડોડીયા, રાજુભાઈ કથાકાર, કાન્તીભાઈ કાનાણી, ચંદુભાઈ કાનાણી, તેમજ કોંગ્રેસ સમિતિ ના પદાદીકરીઓ હાજર રહ્યા હતા.
Recent Comments