સાવરકુંડલા શહેર અને તાલુકા સમસ્ત માલધારી સમાજ દ્વારા મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપ્યું. સાવરકુંડલા શહેર અને તાલુકા ના સમસ્ત માલધારી સમાજ દ્વારા પશુપાલન કરી ગુજરાત ચલાવતા માલધારી સમાજની વિવિધ માગણીઓ જેવી કે ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો નાબૂદ કરવા, ગીર બરડાના માલધારીઓના 17551 કુટુંબોને એસટી નો દરજ્જો પુનઃસ્થાપિત કરવા, માલધારી ગોપાલક મંડળીઓના મત અધિકાર રદ કર્યો તે પુનઃસ્થાપિત કરવા, ગેરકાયદેસર પશુઓ પકડવાના બંધ કરીને શહેરમાં ઘાસચારો આવવા દેવા તેમજ પશુપાલનનો વ્યવસાય ખેતી આધારિત હોવાથી માલધારીઓને પણ ખેડૂત ગણવામાં આવે આવા 11 જેટલા મુદ્દાઓને અનુલક્ષીને સાવરકુંડલા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
સાવરકુંડલા શહેર અને તાલુકા સમસ્ત માલધારી સમાજ દ્વારા મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપ્યું

Recent Comments