ભાવનગર શિશુવિહાર માં બાળ નવરાત્રી ઉત્સવ.શિશુવિહાર સંચાલિત શ્રી મોંઘીબેન બધેકા બાલમંદિર માં બાળકો અને તેના જાગ્રત વાલીઓ માટે નવરાત્રી પર્વ યોજાઇ રહ્યું છે… સાંપ્રદાયિક સૌહાર્દ રૂપે તમામ નાગરિકો માટેના ઉત્સવના પાંચમા દિવસે ગરબા પછી આરતી સુશોભન સ્પર્ધા પણ યોજવામાં આવી. જેમાં ૩૦ થી વધુ વાલીઓએ ભાગ લઈને ઉત્તમ દેખાવ કર્યો હતો .. આ પ્રસંગે બાળકો ના વાલીઓને શ્રી ઇલાબેન મહેતા દ્વારા સ્ટીલના ટિફિન પુરસ્કાર તરીકે આપવામાં આવ્યા . આ ભારતીય ઉત્સવ અંગે શ્રી ઇન્દિરાબેન તથા નિર્મોહીબેને સૌને માર્ગદર્શન આપ્યું હતું….
શિશુવિહાર માં બાળ નવરાત્રી ઉત્સવ આરતી સુશોભન સ્પર્ધા યોજાય

Recent Comments