ગુજરાત

બે દિવસ બાદ આ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ, શામળાજી મંદિરનાં દર્શનના સમયમાં ફેરફાર

આગામી બે દિવસ બાદ આ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ હોવાથી ગુજરાતના મોટા મંદિરોમાં દર્શન તેમજ આરતીમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તો કેટલાક મંદિરો બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ત્યારે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિરે શરદ પૂર્ણિમા આસો સુદ-૧૫ તા.૨૮.૧૦.૨૩ શનિવારે ઉજવાશે. આ દિવસે ભગવાન કાળિયા ઠાકરના દર્શનનો સમય ગ્રહણ હોવાના કારણે ફેરફાર કરાયો છે. તદુપરાંત ૨૮ ઓક્ટોબરને શનિવારે ગ્રહણ હોવાના કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ ૨૭ ઓક્ટોબરને શુક્રવારે શરદ ઉત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શરદપૂર્ણિમાને લઈને શામળાજી મંદિરમાં દર્શનમાં અને શરદ ઉત્સવ બંનેમાં ફેરફાર કરાયો છે. જાણવા મળી રહ્યું છે કે ગ્રહણને લઈને આવતી કાલે શરદ ઉત્સવ ઉજવવામાં આવશે.
પૂર્ણિમા દિવસે મંદિર ખુલશે સવારે ૬ કલાકે
મંગળા આરતી -૬ઃ૪૫,
શણગાર આરતી ૮ઃ૩૦ કલાકે
મંદિર બંધ થશે ૧૧ઃ૧૫ કલાકે
મંદિર ખુલશે બપોરે ૧૨ કલાકે
મંદિર બંધ થશે (ઠાકોરજી પોઢી જશે) ૧૨ઃ૪૫ કલાકે
મંદિર ખુલશે બપોરે ૨ઃ૧૫ કલાકે
સંધ્યા આરતી સાંજે ૪ઃ૩૦ કલાકે
શયન આરતી સાંજે ૫ઃ૪૫ કલાકે
મંદિર બંધ થશે સાંજે ૬ કલાકે
ગ્રહણને લઈ ને મંદિર વહેલા બંધ થશે

Related Posts