અમરેલી

સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ખાતે આગામી તારીખ 10 થી 12 પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં જૂના અખાડાના મહામંડલેશ્વર જયઅંબાગીરી પધારશે.

સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામ સમસ્ત દ્વારા આગામી તારીખ 10, 11 અને 12/02 ના રોજ નૂતન રામજી મંદિર ની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ તકે શ્રી પંચ દશનામ જુના અખાડા ના મહામંડલેશ્વર પરમ પૂજ્ય જયઅંબાનંદ ગીરી માતાજી હિંગળાજ સંન્યાસ આશ્રમ રાજસ્થળી ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. મોટા ઝીંઝુડા ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના ઉપપ્રમુખ અને પૂર્વ સરપંચ ભાભલુભાઈ ખુમાણ, નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી.નિમાવત તથા ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી સંજયભાઈ ખુમાણ દ્વારા રાજસ્થળી ખાતે મહામંડલેશ્વર પરમ પૂજ્ય જયઅંબાનંદ ગીરી માતાજી ને હિંગળાજ સંન્યાસ આશ્રમ રાજસ્થળી ખાતે રૂબરૂ ઉપસ્થિત રહી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહેવા ખાસ આમંત્રણ પાઠવી આશીર્વાદ મેળવ્યા હતા.

Related Posts