ભાવનગર

અકસ્માતની વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

     પ્રાપ્ત અખબારી હેવાલો અનુસાર ગત દિવસોમાં સૌરાષ્ટ્રમાં અકસ્માતની વિવિધ ઘટનાઓ બની છે. જેમાં જસદણ તાલુકાના લાખાવડ નજીક અકસ્માતમાં ત્રણ વ્યક્તિના કરુણ મોત નિપજયા હતાં. એક બીજી ઘટનામાં ખંભાળીયાના કરજુડા નજીક અકસ્માતમાં  કારે અડફેટે લેતાં માતા પુત્રીએ પ્રાણ ગુમાવ્યા હતા.  ગઈકાલે જૂનાગઢ ના બાંટવાના પાજોદ ખાતે ત્રણ ગૌસેવકોના  વાહન અકસ્માતમાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૨૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. રાજકોટ અને જૂનાગઢના રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે.તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.

Related Posts