સાવરકુંડલા શહેર ની મધ્યમાં દેવળા ગેઇટ ખાતે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળામાં સોનિક ફાઉન્ડેશન દ્વારા દરરોજ વહેલી સવારે 300 જેટલા પરિવારો ને વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવી રહી છે. આ છાશ કેન્દ્ર ની સેવા ચાર માસ થી શરૂ છે. જેમાં દરરોજ આશરે એક હજાર કરતા વધુ લોકો આ છાસ કેન્દ્ર નો લાભ મેળવે છે. આ છાશ કેન્દ્ર માં દરરોજ વહેલી સવારે શ્રીકૃષ્ણ ગૌશાળા ના પ્રમુખ રાજુભાઈ બોરીસાગર, બળવંતભાઈ મહેતા, નિકુલભાઈ ગેડીયા, જીગ્નેશભાઈ ગેડીયા, સંકેતભાઈ મારૂ, જીતેન્દ્રભાઈ નાંઢા વગેરે સેવાભાવી યુવાનો છાસ વિતરણના કાર્યમાં સેવા આપી રહ્યા છે.
શ્રી કૃષ્ણ ગૌશાળા સાવરકુંડલા ખાતે સોનીક ફાઉન્ડેશન દ્વારા દરરોજ 300 પરિવારો ને વિનામૂલ્યે છાશ વિતરણ

Recent Comments