અમરેલી

અમરેલી તાલુકાનાં ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલ પાક નુકશાનીનું વળતર આપવા બાબત રજૂઆત કરતા : મનીષ ભંડેરી

અમરેલી તાલુકામાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં જરૂરીયાત કરતાં વધુ વરસાદ પડવાથી ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં પાક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે, અને છેલ્લે બાકી હતુ તો નવરાત્રીના અંતમાં વરસાદ પડવાથી ખેડૂતોનો તૈયાર થયેલ પાક સદંતર નિષ્ફળ ગયો છે. ગુજરાત રાજ્ય અને ભારત દેશના અર્થતંત્રને મજબૂત કરવામાં ખેતીનો મહત્વનો ફાળો રહેલો છે, અને ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં જ્યારે ખેડૂતો ઉપર કુદરતી આફત આવે ત્યારે આ આફતમાથી ખેડૂતોને બેઠા કરવા માટે આર્થિક રીતે મદદરૂપ થવાની જવાબદારી સરકારની બને છે. તેથી, અમરેલી તાલુકાનાં ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલ પાક નુકશાનીનો તાત્કાલિક સર્વે કરાવીને તેનું વળતર ખેડૂતોને દિવાળી પહેલા તેમના બેંક ખાતામાં જમા કરવા માટે આપ સાહેબશ્રીને વિનંતી સહ ભલામણ કરું છું.

Related Posts