ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા તા.૧૪મી ઓક્ટોબર,૨૦૨૫ને
મંગળવારના રોજ સવારના ૧૦:૩૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ ૪/૬, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી
ભવન, ભાવનગર ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૨ એકમમાં ક્યુ.સી ઈનચાર્જ, ક્યુ.સી આસી., સ્ટોર ઈનચાર્જ, પ્લાન
એન્જિનિયર, એસ.આર જગ્યા ભરવાની છે. જેમાં બી.કોમ, એમ.કોમ, ડીપ્લોમાં મિકેનિકલ, બી.ઈ મિકેનિકલ, બી.ઈ
ઈલેક્ટ્રીકલ અને બી.ઈ પ્રોડકશનની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાચ્છુઓએ ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત
તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવું તેમ યુનિવર્સિટી રોજગાર કેન્દ્રના નાયબવડાની
અખબારી યાદીમાં જણાવ્યું છે.
ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે તા. ૧૪ મી ઓક્ટોબરના રોજ ભરતી મેળાનું આયોજન


















Recent Comments