ભાવનગર

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

પદ્મશ્રી કવિ કાગબાપુની પાવન જન્મભૂમિ કાગધામ (તા .રાજુલા, જી. અમરેલી)ખાતે કાગબાપુની ૪૯મી પુણ્યતિથિ (કાગ ચોથ) નિમિતે પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે મોરારી બાપુ પ્રેરિત “કાગ એવોર્ડ”ના રજત મહોત્સવ વર્ષની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.કાગ એવોર્ડના સંયોજક ડૉ. બળવંતભાઈ જાની દ્વારા વર્ષ ૨૦૨૬ માટે કાગ એવોર્ડની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રજત મહોત્સવ વર્ષ દરમ્યાન કુલ ૨૫ વિદ્વાનોને કાગ એવોર્ડ અર્પણ કરવામાં આવશે.

વર્ષ ૨૦૨૬ માટે જાહેર થયેલા કાગ એવોર્ડથી મોરારીબાપુ દ્વારા વંદના કરવામાં આવશે.

સ્ટેજ ક્ષેત્રે:

ધીરુભાઈ સરવૈયા, અનવર મીર, કમલેશ જામંગ, ભારતીબેન કુંચાળા, ભાનુભાઈ વોરા

સંશોધન ક્ષેત્રે:

તીર્થંકર રોહડિયા, પ્રવીણ મધુડા, દિનેશ માવલ, બલરામ ચાવડા, રામભાઈ બારોટ

ચારણી સાહિત્ય રજૂઆત ક્ષેત્રે:

અચલદાન બોક્ષા, ચેતન ગઢવી, જીતુ દાદ ગઢવી, ઇન્દુબેન ગઢવી (બાટી), જવાહર ગઢવી

દિવંગત વિદ્વાનો (મરણોત્તર સન્માન):

સ્વ. જીવભાઈ પિંગલશી નરેલા, કવિ કાન, જાદવજીબાપા (મોજાડીવાલા), વિજયકરણ મેહડુ, દાદુદાન ખુમદાન

રાજસ્થાનના વિદ્વાનો:

પદ્મશ્રી સુખદેવસિંહ બારહઠ, શ્રી માધવ હાડા, શ્રી ધનંજયાબેન અમરાવત, શ્રી મહાદાનસિંહ બારહઠ, શ્રી ભવરદાન રત્નુ

ફાગણ સુદ ચોથ, તા. ૨૧-૦૨-૨૦૨૬ના (શનિવાર)રોજ બપોરે ૩:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી કાગધામ ખાતે “કાગના ફળિયે કાગની વાતું” વિષયક પરિસંવાદ યોજાશે. આ પરિસંવાદમાં પ્રખ્યાત વક્તા શ્રી રમજાન હસણિયા પોતાના વિચારો પ્રસ્તુત કરશે.કાર્યક્રમ અંતર્ગત કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ તેમજ કચ્છ–કાઠિયાવાડ અને ગુજરાતના નામી–અનામી કલાકારો દ્વારા કાગવાણીની ભાવસભર રજૂઆતો યોજાશે.પદ્મશ્રી કવિ કાગબાપુ ટ્રસ્ટ દ્વારા સર્વ કાગપ્રેમીજનનો આ પાવન અવસરે હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યુ છે.

Related Posts