અમરેલી

ભીમજીદાદા સ્નેહામૃત છાશકેન્દ્ર લાલજીદાદાનો વડલો થી વિતરણ થતું ઉનાળા નું અમૃત લાઠી નગર માં દૈનિક ૪૦૦૦ વ્યક્તિ ઓને શીતળતા આપતી છાસ એ ઈશ્વરી આવિષ્કાર છે

લાઠી નગર માં ઉનાળા નું અમૃત ભીમજીદાદા સ્નેહામૃત છાશકેન્દ્ર ની મુલાકાતે મહાનુભવો આરોગ્ય ધામ લાલજીદાદાનો વડલો લાઠી શહેર માં બે માસ થી અવિરત સેવા ના પ્રત્યક્ષદર્શી બનતા દાતા પરિજનો ગોવિદભાઈ ધોળકિયા અરજણભાઈ ધોળકિયા રાકેશભાઈ ધોળકિયા સહિત સુરત થી પધારેલ મહેમાનો એ ભીમજીદાદા સ્નેહામૃત છાસ કેન્દ્ર ની મુલાકાત લીધી ખૂબ ખુશી વ્યક્ત કરી રોજ વહેલી સવારે ૫૦૦ લીટર અમૂલ ગોલ્ડ દુધ ની છાસ બનાવવામાં આવે છે જેનો લાઠી ગામના ૪૦૦૦ થી વધારે વ્યક્તિઓ વિનામુલ્યે છાસ વિતરણનો લાભ લે છે જેના બે મહિના થી વધુ સમય થયેલ છે જેમાં ઉદારદિલ દાતા રત્ન ગોવિંદભાઈ અરજણભાઈ  રાકેશભાઈ ધોળકિયા સાથે સ્નેહીજનો નરશીભાઈ સુતરીયા વલ્લભભાઈ શેત્તા ઈશ્વરભાઈ ગાબાણી  ભવાનભાઈ નવાપરા  ધીરુભાઈ ચાંદપરા પધારી સમગ્ર છાસ વિતરણ સેવા કેન્દ્ર ના કમિટી સભ્યોનો ઉત્સાહ વધાર્યો હતો આ તકે ગોવિદભાઈ ધોળકીયા સુંદર સંદેશ આપ્યો છાસ એ ઈશ્વર નો અનુપમ આવિષ્કાર છે આ પ્રસાદ હમેશા વેચી ને આરોગવો જોઈ દરેક ને નિયમિત મળે તેવી વ્યવસ્થા કરતા સ્વંયમ સેવકો ની સેવા ને વંદનીય ગણાવી હતી

Related Posts