ભાવનગર

ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે ૨૦ ઓગસ્ટે ભરતી મેળો યોજાશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા તા. ૨૦
ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન ખાતે
ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ખાનગી ક્ષેત્રની ત્રણ એકમોમાં સુપરવાઈઝર, એન્જિનિયર, ડિઝાઈન એન્જિનિયર, સિનિયર એક્ઝિક્યુટિવ-
ફાઈનાન્સ, કેમિસ્ટ, કેમિકલ એન્જિનિયર, રિએક્ટર ઓપરેટર તથા એપ્રેન્ટિસ સહિતની જગ્યાઓ માટે ભરતી
કરવામાં આવશે.
આ ભરતીમેળામાં બી.ઈ. મિકેનિકલ, બી.ઈ. કેમિકલ, એમ.કોમ., એમ.એસ.સી. કેમિસ્ટ્રી, એમ.એસ.ડબલ્યુ.,
ઈન્ટર સી.એ., બી.કોમ., બી.એસ.સી. કેમિસ્ટ્રી તેમજ ડિપ્લોમા/આઈ.ટી.આઈ. જેવી શૈક્ષણિક લાયકાત
ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે.
રસ ધરાવતા ઉમેદવારોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-૪/૬, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી
ભવન, ભાવનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે.
ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત તથા અનુભવને લગતા જરૂરી દસ્તાવેજો સાથે રિઝ્યુમની ૪
નકલો લાવવાની રહેશે અને ભરતી મેળામાં સ્વખર્ચે હાજરી આપવાની રહેશે, તેમ ભાવનગર યુનિવર્સિટી
રોજગાર કેન્દ્રની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Posts