અમરેલી

“અશોકભાઈ, સમસ્યાનો કાયમી ઉકેલ આવશે કે નહીં?” સા. કું. વોર્ડ નં. ૫ ના શ્રીજી નગરમાં ટેમ્પરરી કામથી જનતા પરેશાન

નગરપાલિકાના સાવરકુંડલા શહેરમાં આવેલ વોર્ડ નંબર પાંચમાં આવેલા શ્રીજી નગર વિસ્તારની એક શેરીના રહીશો હાલ  ગટર ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દર અઠવાડિયે ઉભી થતી આ વિકટ સમસ્યા અંગે સ્થાનિક રહીશોએ નગરપાલિકાના સદસ્ય અશોકભાઈ ખુમાણ સમક્ષ પોતાનો ઉગ્ર આક્રોશ અને હૈયા વરાળ ઠાલવી છે.

​એક જાગૃત રહીશે વેદના વ્યક્ત કરતા સીધો સવાલ કર્યો છે કે, *”અશોકભાઇ, આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે કે નહીં? દર વખતે માત્ર ટેમ્પરરી કામ જ થાય છે અને અઠવાડિયામાં પાછી એ જ સ્થિતિ ઉભી થઈ જાય છે. જો કાયમી ઉકેલ થવાનો હોય તો જ કહો!”*

​જો કે, અશોકભાઈ ખુમાણની પાર્ટી નગરપાલિકામાં સત્તામાં ન હોવાથી સત્તાધારીઓ પાસેથી કામ કઢાવવું એ લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે, જેના કારણે તેમની પણ મજબૂરી હોઈ શકે. પરંતુ જનતાની ધીરજ હવે ખૂટી રહી છે. નગરપાલિકા તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય તપાસ અને સ્થળ નિરીક્ષણ કરી આ પ્રશ્નનું કાયમી ધોરણે નિવારણ લાવવામાં આવે તેવી શ્રીજી નગરના આ વિસ્તારના રહીશોની પ્રબળ લોકમાંગ છે.

Related Posts