ભાવનગર જિલ્લામાં જાહેર સલામતી અને સુલેહ શાંતિ જળવાઇ રહે તે હેતુસર ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા
મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ મળેલ અધિકારની રૂઈએ આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામાં અનુસાર, સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ શહેરી વિસ્તારો, ઔદ્યોગિક વિસ્તારો તેમજ
ગ્રામ્ય વિસ્તારોમાં કોઇ પણ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સતા આપેલ વ્યક્તિઓએ
પોતાના હસ્તકના મકાનો ભાડે આપતા પહેલા આવા મકાન તથા ભાડુઆતોના નામ/સરનામાની વિગતો નિયત
નમુનામાં સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યાં સિવાય કોઈ પણ વ્યક્તિને તેઓ હસ્તકના મકાન ભાડેથી નહીં આપવા
ફરમાવ્યું છે.
જેમાં નં.મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત/ક્યાં વિસ્તારમાં/ ચો.મી.બાંધકામ,મકાન ભાડે
આપવા સત્તા ધરાવતાં વ્યક્તિનું નામ,મકાન ક્યારે ભાડે આપેલ છે તથા માસિક ભાડું કેટલું?, જે વ્યક્તિઓને ભાડે
આપેલ છે તેમનાં પાકા નામ/સરનામાં/ફોટા/પાસપોર્ટ/ડ્રાઈવીગ લાયસન્સ/પાનકાર્ડ પુરાવારૂપે સાથે આપવા,મકાન
માલિકોને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યકિતનું નામ/ સરનામા/ફોટા/પાસપોર્ટ/ડ્રાઇવીંગ લાયસન્સ/પાનકાર્ડ
પુરાવારૂપે સાથે આપવાના રહેશે.
આ જાહેરનામું સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ શહેરો/ગામોનાં મકાન માલિકોને લાગુ પડશે.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
“જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ
અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યાં છે.”
ભાવનગર જિલ્લામાં આવેલ તમામ શહેરી, ઔદ્યોગિક તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મકાન ભાડે આપવાની નોંધણી અંગેનું જાહેરનામું















Recent Comments