અમરેલી જિલ્લામાં આજે 15 પોઝિટિવ કેસ નોંધાયા સામે 17 કેસો ડિસ્ચાર્જ. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો 3400ની નજીક.
અમરેલી જિલ્લામા કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધતું જાય છે. જિલ્લાની જનતાએ ખાસ કાળજી લેવાની જરૂર છે કારણકે છેલ્લા દિવસોમાં જિલ્લામાં પોઝિટિવ કેસો ભયજનક રીતે વધી રહ્યા છે તો સામે રાહતના પણ સમાચાર છે કે રિકવરી રેટમાં પણ સુધારો જોવા મળી રહ્યો હોવા થી કોરોના દર્દીઓ જલ્દી કોરોના મુક્ત થઈ ડિસ્ચાર્જ પણ વધુ થઈ રહ્યા છે. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુમાં લેવા પ્રયત્નો કરી રહ્યું છે તેમાં લોકોને સહકાર આપવા વિનંતી છે. અત્યારે માસ્ક જ વેકસીન હોવાથી માસ્ક ફરજીયાત પહેરી સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન અવશ્ય કરી પોતાને અને પરિવારને સુરક્ષિત રાખો. આજ તા. 14 ડિસેમ્બરના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લામાં વધુ 15 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 185 દર્દીઓ છે. આજે 17 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 39 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3397 પર પહોંચ્યો છે.
અમરેલીમાં કોરોના વધુ 15 કેસ નોંધાયા, જિલ્લામાં હજુ 185 દર્દીઓ સારવાર હેઠળ, કુલ કેસની સંખ્યા 3397 પર

Recent Comments