સૌરાષ્ટ - કચ્છ

વરતેજ નજીક તળાવમાં ન્હાવા પડેલા ૨ બાળકોના મોત

ભાવનગરમાં વરતેજ નજીક તળાવમાં ડૂબવાથી ૨ બાળકોના મોત નીપજ્યાં છે. તળાવ ન્હાવા પડેલા ૨ બાળકોના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મ્મલે પોલીસને જાન થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.


આ મામલે મળતી માહિતી અનુસાર, શહેરના વરતેજ નજીક તળાવમાં બાળકો ન્હાવા પડ્યા હતા. ત્યારે તેઓ ડૂબીગયા હતા આ મામલે પરિવારને જાન થતા તેઓએ પોલીસને જાન કરી હતી જે બાદ બાળકોની શોધખોળ કરવામાં આવી હતી જે દરમિયાન રાત્રે બન્ને બાળકોના મૃતદેહ મળી આવ્યા. હતા. જણાવીએ કે ૯ અને ૧૦ વર્ષીય બાળકોનો મોત નીપજતા

પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે શહેર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Posts