સૌરાષ્ટ - કચ્છ

કેશોદની એલ.કે. હાઈસ્કુલ નવાબના વિન્ટરપેલેસમાં બનાવાઈ છે

આઝાદી મળતાં જુનાગઢને અલગ રાજ્યનો દરરજાે મળ્યો ત્યારે ૧૯૪૫ માં કેશોદ એરપોર્ટ પરથી નવાબ એક પાલતું કુતરા અને તેની એક બેગમને લઇ ભાગી છુટ્યો હતો. આથી એવું કહેવાય છે જુનાગઢ પર્વતના કારણે એરપોર્ટ શક્ય ન હોય તેથી કેશોદ ખાતે એરોડ્રામ નિર્માણ કર્યું હતું. અને આ એરોડ્રામ જયાંથી નજીક પડતું તે જગ્યાએ નવાબે કલાત્મક કારીગીરી થી મહેલો બનાવ્યાં હતાં કે જેમાં એક પથ્થરને બીજા પથ્થર સાથે લોક કરી દેવા, માત્ર ચુનો અને રેતીનો ઉપયોગ, બારી બારણાં સાગના, પીત્તળના નકુચા, ઉંચી હાઇટવાળું બાધકામ કરવામાં આવ્યું હતું.

હાલ આ વિન્ટરપેલેસ રાજમહેલ તરીકે ઓળખાય છે. ઇ. સ. ૧૯૩૫ માં મિડલ સ્કુલ અને ૧૯૫૬ માં સરકારી હાઇસ્કુલ સ્થાપવામાં આવી હતી અને તેનું નામ સરકારી એલ. કે. હાઇસ્કુલનું નામ આપવામાં આવ્યું હતું. આ સરકારી હાઇસ્કુલમાં નવાબ ભુલી ગયા હોય તેવું એક ઉર્દુ ભાષાનું પુસ્તક પણ હયાત છે. આ અંગે એલ.કે. હાઈસ્કુલમાં વર્ષ-૨૦૧૧ સુધી મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવનાર ત્યાર બાદ આચાર્ય રહી ચુકેલા નરેશભાઈ કુવરજીભાઈ દાવડાએ કહ્યું હતું કે, ઈ.સ.૧૮૬૦માં નવાબે વિન્ટરપેલેસ બનાવ્યો હતો. તેમની તક્કતી પણ હયાત હતી. પરંતુ હેરીટેઝ જાહેર કરતા રિનોવેશન કરાયું હતું. બાદમાં તકતી જાેવા મળતી નથી. આ મહેલનું બાંધકામ એ રીતે થયું છે કે, તેમા પ્રવેશતા જ ગરમીનો અહેસાસ થાય છે.

આ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી ચુકેલા ગોવિંદભાઈ ઉસદડિયાએ કહ્યું હતું કે, આ શાળામાં એક ઉર્દુ ભાષાનું ખુબ જ જુનું પુસ્તક છે. જે નવાબી શાસકો છોડીને જતા રહ્યાં હોવાનું મનાઈ રહ્યું છે.કેશોદ રેલ્વે સ્ટેશનની નજીક પુર્વ ભાગે રાજમહેલ આવેલો છે આ મહેલ ઇ. સ. ૧૮૬૦ ની આસપાસ ત્રીજા નવાબ તરીકે ઓળખાતા મુહમદ મહબ્બત ખાનજીએ બાંધેલો હતો. આ મહેલ એવી રીતે બાંધવામાં આવ્યો છે કે અંદર પ્રવેશતાં ગરમીનો અહેસાસ થાય છે તેથી આ મહેલને વિન્ટરપેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જયારે પણ ઠંડી પડતી ત્યારે નવાબ અને તેનો પુત્ર શાહજાદા દિલાવરખાનજી અને પરીવાર સભ્યો આ મહેલમાં રોકાણ કરવા આવતાં હતાં. જયારે ગરમ રૂતુ આવે એટલે આ નવાબનો પરીવાર ચોરવાડના સમુદ્ર કાંઠેનાં વિન્ટર પેલેસમાં પણ રોકાણ કરવા જતો રહેતો હતો.

Related Posts