અમરેલી

લાઠી તાલુકાના સુવાગઢ ખાતે જનકભાઈ તળાવીયા ના વરદહસ્તે ઈ.શ્રમ કાર્ડ કેમ્પ નો પ્રારંભ

લાઠી તાલુકાના સુવાગઢ  પૂર્વ  તાલુકા પંચાયત લાઠી જનકભાઈ તળાવીયા ના હસ્તે ઈ.શ્રમ કાર્ડ  કેમ્પ નો પ્રારંભ લાઠી તાલુકાના છેવાડા નું ગણાતું સુવાગઢ ગામે  તાલુકાનાં છેવાડા ના ગામનાં નાના મા નાના લોકો ને સરકારશ્રી ની યોજનાં ના લાભ થી વંચિત ન રહી જાય તેવા હેતુ થી ભાજપ અગ્રણી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી તળાવીયા દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઇ.શ્રમ કાર્ડ ના ફાયદા વિશે માહિતી આપવામા આવી હતી લાઠી તાલુકા  પંચાયત સદસ્યશ્રી મધુભાઈ નવાપરા, સુવાગઢ ગામનાં નવનિયુક્ત સરપંચ મુકેશભાઈ ડાભી, પૂર્વ સરપંચ ચંડીદાનબાપુ ગઢવી   સહિતના ભાજપના આગેવાન અને કાર્યકર્તાઓ અને ઈ.શ્રમ કાર્ડ કાઢવા આવેલા ઓપરેટરશ્રી કિશનપરી ગોસાઈ દ્વારા આ કેમ્પના આયોજન ને સફળ બનાવવા આવ્યો હતો.આ ઈ.શ્રમ કાર્ડ કાઢવામાં સુવાગઢ ગામનાં લોકોને લાભ મળતા જનકભાઈ તળાવીયા ની કામગીરી થી ખુશી જોવા મળી હતી નાના મા નાની વ્યક્તિ સુધી સેવાકીય પ્રવૃત્તિ કરતા તળાવીયા એ ઉમદા ઉદાહરણ પુરૂ પાડતા સૂવાગઢ ગામે  સરકારશ્રી ની આ યોજનાનો ઘરબેઠા લાભ મળતા ગ્રામજનો દ્વારા જનકભાઈ તળાવીયા તેમજ મધુભાઈ નવાપરાનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સરપંચ મુકેશભાઈ ડાભી તેમજ ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો 

Related Posts