ભાવનગર(ગ્રામ્ય) તાલુકામાં કૃષ્ણપરા, નવા કોટડા, કોટડા, કાનાતળાવ, સવાઇનગર જત વિસ્તાર, ભડભીડ, અધેળાઇ તથા કાળાતળાવ નિરમા બ્રાંન્ચ શાળા ખાતે આવેલ પ્રાથમિક શાળાઓ ખાતે મધ્યાહન ભોજન યોજના ચલાવવા માટે સંચાલકોની જગ્યાઓ ભરવા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ ૭ પાસ તથા ૨૦ થી ૫૫ વર્ષ વચ્ચેની ઉમર ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી તા.૨૦/૦૮/૨૦૨૨ સુધીમાં અરજીઓ મંગાવવામા આવે છે. વિધવા, નિરાધાર તથા સ્ત્રી ઉમેદવારો, આર્થિક રીતે પછાત વર્ગનાં ઉમેદવારો તથા સ્થાનિકને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. સંચાલકોનાં અરજી ફોર્મ જાહેર રજાનાં દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન મામલતદાર કચેરી, ભાવનગર(ગ્રામ્ય) ખાતેથી મળી શકશે.
ભાવનગર(ગ્રામ્ય) તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ

Recent Comments