પોલીસ કર્મચારીના આપઘાતના કેસમાં પોરબંદર SP અને DYSP જૂનાગઢ પહોંચ્યા
જૂનાગઢના પોલીસ કોન્સ્ટેબલ ના આપઘાત પ્રકરણની તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. હાઈકોર્ટે ટકોર કર્યા બાદ હવે તપાસને તેજ કરવામાં આવી છે. પોરબંદર જીઁ જાડેજા સહિત ડ્ઢઅજીઁ નીલમ ગોસ્વામી સહિતના અધિકારીઓ જૂનાગઢ પહોંચ્યા છે. જ્યાં જૂનાગઢમાં આવેલ પોલીસ તાલીમ કેન્દ્રમાં પહોંચીને તપાસ શરુ કરી છે. જીઁ બીયુ જાડેજા અને ડ્ઢઅજીઁ ગોસ્વામી આપઘાત પ્રકરણમાં આરોપીઓની સંડોવણીને લઈ પૂરાવાઓ એકઠા કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જૂનાગઢ પોલીસ તાલીમ કેન્દ્ર પહોંચી કેટલીક જરુરી વિગતોને ચકાસી હતી. કંટ્રોલ રુમની વિગતો મેળવવામાં આવી હતી. હાજરી સહિત, પોલીસ ગાડીની વિગતો સહિતની માહિતી પોરબંદર જીઁ અને ડ્ઢઅજીઁ એ મેળવી હતી. ઝ્રઝ્ર્ફ ના ફુટેજને લઈને પણ વિગતો મેળવવામાં આવી હતી. તપાસ બાદ જૂનાગઢ રેન્જ ૈંય્ અને સરકારને અહેવાલ મોકલવામાં આવનાર છે. હાઈકોર્ટે પણ પોરબંદર જીઁને સીધુ મોનિટરીંગ તપાસનુ કરવા માટે કહ્યુ હતુ. જેના બાદ હવે પોરબંદર એસપી પણ તપાસમાં રુબરુ જૂનાગઢ પહોંચ્યા હતા.
Recent Comments