ગુજરાત

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડને અમદાવાદ એરપોર્ટ ખાતેથી અપાઈ ભાવસભર વિદાય

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે કેન્દ્રીય મંત્રી શ્રી પ્રલ્હાદ જાેશીએ ઉપરાષ્ટ્રપતિશ્રીને ભાવસભર વિદાય આપી ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ ભારત સરકાર દ્વારા આયોજિત ઇઈ-ઇન્વેસ્ટ સમિટ-૨૦૨૪ના સમાપન સમારંભમાં સહભાગી થવા ગુજરાત પધાર્યા હતા. પોતાનો એક-દિવસીય પ્રવાસ પૂર્ણ કરી આજે બપોરે દિલ્હી પરત જવા રવાના થયા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતેથી ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સાથે કેન્દ્રીય મંત્રી શ્રી પ્રલ્હાદ જાેશીએ ભાવસભર વિદાય આપી હતી.

આ પ્રસંગે પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક, અમદાવાદ કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે., ડેપ્યૂટી ચીફ પ્રોટોકોલ ઓફિસર શ્રી સંકેતસિંહ સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ ઉપરાષ્ટ્રપતિશ્રીને ભાવસભર વિદાય આપી હતી.

Related Posts