અમરેલી

ચિતલ વિદ્યાભારતી ખાતે મનુભાઈ દેસાઈ ની અધ્યક્ષતા માં ૧૧૮ મો નેત્રનિદાન કેમ્પ યોજાશે

ચિતલ સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પીટલ રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ ચિતલ દ્વારા તા. ૨૬.જૂન ને ગુરુવારે સવાર ના ૯-૦૦ કલાકે સરસ્વતી વિદ્યા મંદિર ચિતલ ના ખાતે મનુભાઈ દેસાઈ  ના  ના અધ્યક્ષ સ્થાને ૧૧૮ મો નેત્ર નિદાન કેમ્પ અરજણભાઈ મોહનભાઈ ધાનાણી તેમજ વજુભાઈ ભગવાનભાઈ ધોળા ના સહયોગ થી આયોજન કરવામાં આવ્યું છે

જેનું ઉદઘાટન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઓમદેવસિંહ જાડેજા ના વરદહસ્તે કરવામાં આવશે આ પ્રસંગે 

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપાધ્યક્ષ એડવોકેટ હંસાબેન મકાણી અમરેલી જિલ્લા સેવા પ્રમુખ એડવોકેટ યુવરાજસિંહજી પલવાર તેમજ જિલ્લા  વિશ્વ હિન્દુ પરિષદ ના ઉપ-પ્રમુખ વિજયભાઈ  દેસાઇ  વગેરે ઉપસ્થિત રહેશે આ કેમ્પ માં દર્દી ઓને આખ ની  આખ ની તપાસ, ચા ભોજન, રાજકોટ આવવા જવાની વ્યવસ્થા, દવા, નેત્રમણી ,ટીપાં ,ચશ્મા વિના મૂલ્યે કેમ્પ માં દર્દીઓ ને આપવામાં આવશે

આ કેમ્પ માં લાભ લેવા માગતા દર્દી ઓને સરસ્વતી મંદિર ચિતલ ખાતે ઉપસ્થિત રહેવા સંસ્થા ના પ્રમુખ ઈતેશભાઈ મહેતા એ જણાવેલ છે કેમ્પ ને સફળ  બનાવવા સયોજક દિનેશભાઈ મેસિયા, બિપીનભાઈ દવે,બકુલભાઈ ભીમાણી ખોડાભાઈ ધંધુકિયા, 

છગનભાઈ કાછડીયા, હસુભાઈ ડોડીયા, ઉકાભાઇ દેસાઈ , જીતુભાઈ વાઘેલા ,રાજુભાઈ ધાનાણી  , સવજીભાઈ,રંજનબેન બાબરીયાં વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે

Related Posts