અમરેલી

દામનગર શહેર માં સ્વર્ગીય વડીલો ની પુણ્યસ્મૃતિ માં સંતાનો દ્વારા ઠંડા પીવા ના પાણી નું પરબ લોકાર્પણ કરાયું

દામનગર શહેર માં સ્વર્ગીય વડીલો ની પુણ્ય સ્મૃતિ માં સંતાનો દ્વારા પીવા ના પાણી નું પરબ લોકાર્પણ કરાયું  શહેર ના અતિ ધમધમતા ચોક રાભડા રોડ ચોકડી ઉપર સ્વ.ધરમશીભાઈ ડાયાભાઈ નારોલા ના પુત્ર રત્નો  સંજયભાઈ ધરમશીભાઈ નારોલા – ઇન્દુભાઈ ધરમશીભાઈ નારોલા તેમજ સ્વ.ભીખાભાઈ જાદવભાઈ નારોલા.પુત્ર રત્ન ચીમનભાઈ ભીખાભાઈ નારોલા તેમજ સ્વ.ઠાકરશીભાઈ પરસોત્તમભાઈ બલર ધામેલ વાળા.ના પુત્ર રત્ન ના સયુંકત આર્થિક સહયોગ થી દામનગર રાભડા રોડ ચોકડી  પાણીનું પરબ ખુલ્લુ મુકાયું હતું શહેર ના અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી હરજીભાઈ નારોલા દામનગર પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા સતીશગીરી ગોસ્વામી સચિનભાઈ બોખા પ્રિતેશભાઈ નારોલા જીતુભાઈ નારોલ ધીરુભાઈ નારોલા હિંમતભાઈ આલગિયા ગૌતમભાઈ ચૌહાણ પ્રકાશભાઈ તજા વિનુભાઈ નારોલા જયતિભાઈ નારોલા સહિત અનેક સામાજિક કાર્યકરો ની પ્રેરક ઉપસ્થિતિ માં દાતા રત્નો ચીમનભાઈ સંજયભાઈ અને બલર પરિવાર દ્વારા ગ્રીષ્મ ની ગરમી માં શીતળતા આપતા ઠંડા પીવા ના પાણી ની અવિરત સેવા નું લોકાર્પણ કરાયું હતું 

Related Posts