ગુજરાત

સુરત ની સામાજિક સેવા સંસ્થાન સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય પર્વ ની રંગારંગ ઉજવણી મેયર દક્ષેશભાઈ માવાણી ના વરદ હસ્તે ધ્વજવંદન

સુરત મોટા વરાછાના રામચોક ખાતે સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  ૧૫ ઓગસ્ટ  દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે  ભવ્ય સમારોહમાં માનનીય પુર્વ મેયર શ્રી દક્ષેશભાઇ માવાણીના વરદહસ્તે ગૌરવભેર ધ્વજવંદન કરવામાં આવ્યું.આ ઐતિહાસિક ક્ષણે તિરંગાને સલામી અર્પણ કરી રાષ્ટ્રની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અમર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને હૃદયપૂર્વક નમન કર્યું. તેમની શૌર્યગાથા અને બલિદાન હંમેશા આપણને રાષ્ટ્રસેવા માટે પ્રેરણા આપતા રહેશે સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ ના સેવા પ્રદાન ની સુપેરે નોંધ લેતા વહિવટી તંત્ર ની ઉપસ્થિતિ વ્યસન મુક્તિ રાષ્ટ્રીય અભિયાનો સામાજિક મુહિમો માટે તત્પર સામાજિક સેવા સંસ્થા સુદામા ચેરી ટેબલ ટ્રસ્ટ સુરત ના સેવા પ્રદાતા ઓને બિરદાવતા અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન ના અગ્રણી ઓની પ્રેરક ઉપસ્થિતિ માં રંગારંગ ઉજવણી કરાય હતી

Related Posts