મુલ્યવર્ધક રાજનિતી પાત્રતા અને સર્વમાન્ય લોકસેવકનું પાત્ર આમ બહુધા આભા સંપન્ન વ્યકિતત્વની વિદાય માત્ર રાજકીય જ નહિં સામાજીક ધોરણે પણ ખાલીપો સર્જનાર રહેશે તેમ પીઢ કોંગ્રેસી નેતા નવિનચંદ્રભાઈ રવાણીના અવસાને ભાવસભર શ્રધ્ધાંજલી પાઠવતા પૂર્વ કેબીનેટ મંત્રી, પૂર્વ સાંસદ અને રાષ્ટ્રિય સહકારી અગ્રણી દિલીપ સંઘાણીએ જણાવેલ.
સંઘાણી એ વધુમા જણાવેલ કે, નવિનચંદ્રભાઈમા નવિનતા એ હતી કે રાજકારણ સાથે લોકોના હૃદયમા રાજ ઉભુ કરવાની કૂશળતા, જાહેરજીવનમા હોવાના નાતે મેં ખુબ નજીકથી જોયા–જાણ્યા છે. તેમની જનસેવાઓ જીલ્લામા પથરાયેલી છે. સદશ્ગત આત્માની શાંતિ માટે પ્રાર્થના અને રવાણી પરિવારને દિલસોજી પાઠવતા જણાવેલ
Recent Comments