અમરેલી

સાવરકુંડલા શહેરમા દિનપ્રતિદિન વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે એવી વેળાએ આ ચોમાસામાં એક વૃક્ષ વાવીને ફરી સાવરકુંડલા શહેરને લીલુંછમ કરીએ

સાવરકુંડલા શહેરમા હવે ચોમાસાની ઋતુનો પ્રારંભ થવામાં છે ત્યારે એક વાત તો આમજનોએ મનથી મક્કમ થઈને નિર્ણય કરવાની તક ચોક્કસ ઝડપી લેવી જોઈએ કે મોસમનો વરસાદ પડે એ પહેલાં વૃક્ષારોપણ અવશ્ય કરવું જોઈએ. આમ તો આપણાં આંગણાંથી પણ શરૂઆત કરી શકાય. કંઈ નહીં તો તુલસી, ચંપો, ચમેલી, ગુલાબના છોડ તો અવશ્ય રોપી શકાય. હા, રસ્તા પર કે બહાર શેરીમાં જ્યાં પણ ફાજલ જગ્યા જોવા મળે ત્યાં લીમડો, પીપળો કે અન્ય છાયડો આપતાં વૃક્ષો વાવીને તેનું જતન પણ થઈ શકે.
આમ તો એક નાનકડું વૃક્ષ પણ માનવજાત અને પશુ પક્ષીઓ માટે કેટલું ઉપકારક થઈ શકે છે ધોમધખતાં તાપમાં એક નાનકડું વૃક્ષ પણ કેટલું ઉપયોગી થઈ શકે છે તેની એક બે તસવીરો અહીં આપની સમક્ષ પ્રસ્તુત કરતાં ખરેખર ખૂબ આનંદ થાય છે અને વૃક્ષની ઉપયોગિતા તો આપણે સહુ જાણીએ પણ છીએ અને તેના ઔષધીય ગુણોનું મહત્વ પણ સુપેરે સમજીએ છીએ.. હમણાં હમણાં સ્કૂલોનું વેકેશન પૂર્ણ થયું ત્યારે મોટાભાગના શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોનો સત્કાર ચોકલેટ આપીને કરવામાં આવેલ પરંતુ અમુક સંસ્થાઓએ બાળકોને લીમડાનું અમૃત ફળ અર્થાત લીંબોળી આપીને આવકાર સત્કાર કર્યો.. હા, લુપ્ત થતી દેશી ઓસડિયાં પધ્ધતિને  પણ આ દ્રારા જીવતદાન આપી શકાય. હમણાં જ એક વિદ્વાન દવાના વેપારી સાથે ચર્ચા થતાં તેણે જણાવ્યું હતું કે હવે એલોપથી સિવાય કોઈ વિકલ્પ જ નથી. આપણાં આહાર વિહારની પધ્ધતિઓ એટલી હદે પેસ્ટીસાઈઝ્ડ થઈ ચૂકી છે હવે આયુર્વેદશાસ્ત્ર બિનઅસરકારક થઈ જાય છે જે હોય તે પરંતુ ફરી પ્રકૃતિ સાથે સંકલન સાધવાનો સમય આવી ચૂક્યો છે. કંઈ નહીં તો એક વૃક્ષ તો અવશ્ય વાવવીએ અને તેનો ઉછેર અને જતન પ્રેમથી કરીએ. કદાચ એ જ વૃક્ષની ઉપયોગિતા માનવજાત માટે આશીર્વાદ સમાન પણ થશે.. આ વાઇરસ અને બેક્ટેરિયાના યુગમાં બાયોસાયન્સ  અર્થાત વૃક્ષારોપણ..

Related Posts