જિલ્લાના તબીબો માટે ડેન્ગ્યુ, ચિકુનગુનીયા અને રેબીઝ અંગેની તાલીમ યોજાઈ
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/08/IMG-20230812-WA0014.jpg)
અમરેલી જિલ્લાના તબીબો માટે ડેન્ગ્યુ, ચિકુનગુનીયા અને રેબીઝ અંગેની તાલીમ યોજાઈ
અમરેલી જિલ્લાની જનરલ હોસ્પિટલ, સબ ડીસ્ટ્રિક હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ફરજ બજાવતા તજજ્ઞશ્રીઓ અને તબીબી અધિકારીશ્રીઓ ને ડેન્ગ્યુ અને ચિકુનગુનીયાના ક્લિનીકલ મેનેજમેન્ટ બાબતે માર્ગદર્શન માટે કાર્યશિબિર યોજાયેલ હતી.જેમાં ભારત સરકાર દ્વારા તાલીમ પામેલ વિષય નિષ્ણાંતશ્રીઓ – ડો.જયેન્દ્ર ગોહિલ,હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ, પીડિયાટ્રિક અને ડો. જતીન લુંગાતર – એસો સિયેટ પ્રોફેસર – બંને જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજ – જૂનાગઢ દ્વારા ડેન્ગ્યુ અને
ચિકુનગુનીયાના ક્લિનીકલ મેનેજમેન્ટના વિવિધ પાસાઓ ની વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ.આ સાથે નેશનલ રેબિઝ કંટ્રોલ પ્રોગ્રામ ( NRCP) અંતર્ગત તાલીમ પણ યોજાયેલ હતી,જેમાં હડકવા નિયંત્રણના પગલાંઓ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.
મેલેરીયા શાખા અને એપેડેમિક શાખા,જિલ્લા પંચાયત અમરેલી ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ તાલીમ – કાર્ય શિબિરમાં જિલ્લાના એપેડેમિક મેડિકલ ઓફિસર શ્રી ડૉ. એ.કે.સિંહ અને ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર શ્રી ડૉ.આર.કે. જાટ હાજર રહી જિલ્લા આરોગ્ય તંત્રને એપેડેમિક પ્રિપેર્ડનેસ ના અભિગમ સાથે તૈયાર રહેવા જણાવેલ.
Recent Comments