શક્તિ મહિમા ગાન સાથે વિકળિયા ગામે શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ લાભ ચૈત્ર નવરાત્રી પર્વે શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભક્તિભાવથી આયોજન વિકળિયા ગુરુવાર તા.૧૧-૪-૨૦૨૪ ચૈત્ર નવરાત્રી પર્વે વિકળિયા ગામે શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભક્તિભાવથી શક્તિ મહિમા ગાન સાથે શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ લાભ
તીર્થસ્થાન શ્રી ધનાબાપા જગ્યા ધોળામાં આસ્થાભેર યોજાયેલ નવચંડી યજ્ઞ મૂર્તિ પ્રતિષ્ઠા સાથે નવરાત્રી યજ્ઞનું મહંત શ્રી બાબુરામ ભગત અને સેવક પરિવાર દ્વારા આયોજન ધોળા ગુરુવાર તા.૧૧-૪-૨૦૨૪ (મૂકેશ પંડિત) તીર્થસ્થાન શ્રી ધનાબાપા જગ્યા ધોળામાં ચૈત્ર નવરાત્રી નવચંડી યજ્ઞ યોજાઈ ગયો. મૂર્તિ પ્રતિષ્ઠા સાથે મહંત શ્રી બાબુરામ ભગત અને સેવક પરિવાર દ્વારા આસ્થાભેર આયોજન થઈ ગયું. ગોહિલવાડના
આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે કાર્યરત મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનિટરીંગ કમિટી (MCMC) હેઠળ કાર્યરત ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેલની મુલાકાત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આર.કે.મહેતા દ્વારા લેવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ મોતીબાગ વિસ્તારમાં પુરવઠાની ઝોનલ કચેરીનાં મકાનમાં કાર્યરત કરવામાં આવેલા કેન્દ્રની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા
ગઢુલા ગામે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કરિયાણાનું વિતરણ કરવામાં આવ્યું ભાજપ અગ્રણી શ્રી રઘુભાઈ આહિર દ્વારા અગ્રણીઓની ઉપસ્થિતિમાં સખાવત ઈશ્વરિયા મંગળવાર તા.૯-૪-૨૦૨૪ (મૂકેશ પંડિત)ભાજપ પ્રદેશ અગ્રણી શ્રી રઘુભાઈ આહીર દ્વારા ગઢુલા ગામે જરૂરિયાતમંદ પરિવારોને અગ્રણીઓની ઉપસ્થિતિમાં અનાજ કરિયાણાનું વિતરણ કરવામાં આવ્યું છે. સિહોર તાલુકાનાં ગઢુલા ગામે ગરીબ જરૂરિયાતમંદ પરિવારોને લગભગ
જી. સી. આર. ટી -ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, ભાવનગર ના સંયુક્ત ઉપક્રમે ટી. એલ. એમ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ના જુદાં જુદાં તાલુકાઓ માંથી શિક્ષકોએ વિષયોના અધ્યાપનકાર્ય માં અધ્યન નિષ્પત્તિ અનુસાર ઉપયોગમાં લેવાતા વિવિધ વર્કિંગ લર્નિંગ મટીરીયલના એક ભાગરૂપે વિવિધ વર્કિંગ મોડેલ અને ટકાઉ ટી. એલ.એમ નું નિર્માણ કરવામાં […]
આગામીએપ્રિલ-૨૦૨૪/ મે- ૨૦૨૪નાંમાસદરમ્યાનતા. ૦૮/૦૪/ર૦૨૪નાંરોજસોમવતીઅમાસ, તા.૯/૦૪/૨૦૨૪નાંરોજગુડીપડવો, તા.૧૦/૦૪/૨૦૨૪નાંરોજરમજાનઈદ, તા.૧૪/૦૪/૨૦૨૪નાંરોજબાબાસાહેબઆંબેડકરજયંતિ, તા. ૧૭/૦૪/ર૦ર૪નાંરોજશ્રીરામનવમી, તા. ૨૧/૦૪/૨૦૨૪નારોજશ્રીમહાવીરસ્વામીજયંતિ, તા. ૨૩/૪/૨૦૨૪નારોજહનુમાનજયંતિતથાતા. ૦૧/૦૫/૨૦૨૪નાંરોજગુજરાતસ્થાપનાદિવસવગેરેતહેવારોઉજવનારાછે.
ગત દિવસોમાં ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ માર્ગ અકસ્માત સર્જાયા હતા અને તેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સૌરાષ્ટ્રમાં સિહોર તાલુકામાં બોઈલર ફાટવાને લીધે અને નદીમાં ડૂબી જતાં થયેલા અકસ્માતમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. પૂજ્ય મોરારીબાપુ વતી સ્થાનિક પત્રકાર શ્રી મુકેશભાઈ પંડિત દ્વારા રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. તે ઉપરાંત મોરબી […]
વિકળિયા ગામે આગામી મંગળવારથી શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને આયોજન જાળિયા શનિવાર તા.૬-૪-૨૦૨૪ વિકળિયા ગામે આગામી મંગળવારથી શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ આયોજન થયું છે. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને વિકળિયા ગામે શ્રી ભાથીજી મંદિર ખાતે આગામી મંગળવારથી શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ આયોજન થયું છે. મંગળવાર તા.૯થી બુધવાર તા.૧૭
સમગ્ર શિક્ષા અંતર્ગત ધોરણ – ૧ થી ૧૨ સુધી શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોની સર્વેની કામગીરી તા.૧ એપ્રિલ થી ૧૭ મે ૨૦૨૪ સુધી હાથ ધરવામાં આવશે. શાળા બહારનાં બાળકો (દિવ્યાંગ સહિત) કે જે કદી શાળાએ ગયેલ નથી કે વચ્ચે થી અભ્યાસ છોડી દીધેલ હોય તેવા ૬ થી ૧૯ વર્ષનાં બાળકોનો સર્વે થશે. રેલ્વે સ્ટેશન, ઝુપડપટ્ટી […]
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪મા ભાવનગર જિલ્લામાં વધુને વધુ મતદારો મતદાન તરફ પ્રોત્સાહિત થાય અને પોતાના પવિત્ર મતદાનની ફરજ અદા કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના માર્ગદર્શન હેઠળ સ્વીપ દ્વારા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે, ત્યારે આજરોજ ૧૦૧-ગારીયાધાર વિધાનસભા મત વિસ્તારમાં મતદાન વધારવા માટે લો વોટર ટર્ન આઉટ ધરાવતા બુથ પૈકીના […]
Recent Comments