ભાવનગર

શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે યોજાશે 29 મી ત્રી દિવસીય વિદ્યાર્થી યુવા આધ્યાત્મિક શિબિર

શિક્ષક કદી નિવૃત્ત થતો નથી તેમજ ચાણક્યની ઉક્તિ અનુસાર શિક્ષક કભી સામાન્ય નહીં હોતા એવા શિક્ષક સંત પૂ. સીતારામબાપુ છેલ્લા 28 વર્ષથી વિદ્યાર્થી યુવાનોનાં જીવનમાં આધ્યાત્મિક ચેતનાની ઊર્જાથી ઉત્સાહ વધે અને જીવન ઉત્કર્ષ બને તે હેતુથી આવી શિબીરોના આયોજન કરતા રહે છે. આ વર્ષે પણ મહાશિવરાત્રીનાં પાવન પર્વના દિવસોમાં તારીખ 17 – 18 અને 19 ફેબ્રુઆરીના ત્રી દિવસીય આધ્યાત્મિક વિદ્યાર્થી યુવા શિબિરનું આયોજન થયેલ છે.

    ભારતીય સંસ્કૃતિની ઉજ્જવળ મશાલને પ્રજવલિત રાખવા અને તેઓમાં રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ ભાવ જાગે અને સુસંસ્કૃત જીવન સાથે સામાજિક સમરસતા દ્રઢ બને તે હેતુથી મહાનુભાવો વિદ્વાનો અને સંતોનું માર્ગદર્શન વિદ્યાર્થી યુવાનોનાં જીવનમાં ધર્મ – શિક્ષણ – સમાજ અને રાષ્ટ્રનું સ્થાન જેવા વિષયો પર મળી રહેશે.

     આ શિબિરમાં પ્રથમ દિવસે ડો. જીવરાજભાઈ મિયાણી પૂર્વકુલપતિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ ડો. નિરંજનભાઈ પટેલ કુલપતિ વલ્લભ વિદ્યાનગર યુનિવર્સિટીનું વક્તવ્ય નરેશભાઈ જાનીના સંચાલનમાં થશે. જ્યારે બીજા દિવસે ડો. બલભદ્રસિંહ ચુડાસમા પ્રિન્સિપાલ મહિલા કોલેજ અમરેલી ડો. ગૌતમભાઈ પટેલ અધ્યક્ષ શ્રી સંસ્કૃત સેવા સમિતિ અમદાવાદ અને પૂ. જયદેવ શરણ મહારાજ સર્વેશ્વર ગૌતમ કોબડીનું વક્તવ્ય મેરણભાઈ ગઢવીના સંચાલનમાં થશે. શિબીરનાં અંતિમ દિવસે ડો. વસંતભાઈ પરીખ પૂર્વ અધ્યક્ષ સંસ્કૃત સાહિત્ય અકાદમીનું વક્તવ્ય અને પૂ. સીતારામબાપુના દીક્ષાંત પ્રવચન અને આશીર્વાદનો લાભ વિદુષી કવિત્રી કાલિન્દીબેન પરીખના સંચાલન તળે મળશે. આ ઉપરાંત શિબીરમાં ત્રણેય દિવસ ક્લાસ વન અધિકારીઓ પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

 આ શિબિરમાં રોજ પ્રાતઃકાળે પ્રાણાયામ યોગાસનો કરાટે વિગેરેની સાથે આધ્યાત્મિક વ્યાયામ પણ ખાસ રાખેલ છે ત્રણેય દિવસ માટે તમામ શિબિરાર્થીઓ પૂજ્ય રામેશ્વર આનંદમય તથા પૂજ્ય વરૂણાનંદ મય દેવીના સહ સ્વરમાં સંગીત સાથે હનુમાન ચાલીસા તથા સુંદરકાંડ નો પાઠ કરશે અને તેનો છેલ્લા દિવસે દશાંશ હોમ યજ્ઞ થશે વિવેકાનંદ વિદ્યામંદિર દિહોરના ઘનશ્યામભાઈ રમણા ના માર્ગદર્શન હેઠળ શિબિરાર્થીઓ અને શિવકુંજ માનસ પરિવારના સભ્યો શિબિરમાં જોડાશે.

Related Posts