ભાવનગર

ભાવનગર તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૭ નવેમ્બરના રોજ યોજાશે

નવેમ્બર ૨૦૨૪ ના માસનો “મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું તા:-૨૭/૧૧/૨૦૨૪ નાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી, આઈ.ટી.આઈ.વાળો ખાંચો, વિદ્યાનગર, ભાવનગર ખાતે મદદનીશ કલેકટરશ્રી, ભાવનગર પ્રાંત, ભાવનગરના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવેલ છે.ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટે સંબંધિત તલાટી-કમ- મંત્રીને તથા તાલુકા કક્ષાના પ્રશ્નો હોય તે તા:-૧૦/૧૧/૨૦૨૪ સુધીમાં મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય), ભાવનગરની કચેરીને સાદી અરજીમાં બે નકલમાં પહોંચાડી આપવા મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય)ની યાદીમાં જણાવવામાં આવે છે.

Related Posts