અમરેલી

અમરેલી સહકારી સંસ્થાના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી એ માનવ મંદિર આશ્રમમાં છાત્રાલય માટે સ્વર્ગસ્થ ચંદુભાઈ સંઘાણી ના નામે એક રૂમના ૧.૫૧.૦૦૦ નું અનુદાન આપ્યું

અમરેલી અનુકરણીય કદમ અમરેલીના પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય પૂર્વ મિનિસ્ટર અને હાલના અનેક સહકારી સંસ્થાના ચેરમેન પ્રતિનિધિ એવા ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી અને સંઘાણી પરિવાર દ્વારા સાવરકુંડલામાં આવેલ માનવ મંદિર આશ્રમમાં તૈયાર થઈ રહેલ છાત્રાલય માટે સ્વર્ગસ્થ ચંદુભાઈ સંઘાણી ના નામે એક રૂમના ૧.૫૧.૦૦૦  આપીને એક સહકાર અને પુણ્યનું કામ કર્યું છે માનવ મંદિર આશ્રમ સાવરકુંડલા નિરાધાર રખડતા ભટકતા મનોરોગીઓની નિશુલ્ક સેવા નો આશ્રમ છે અહીંયા છેલ્લા 12 વર્ષથી ભક્તિ બાપુ આ આશ્રમ રામના ભરોસે ચલાવી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી ભક્તિ બાપુના મનમાં એવો વિચાર હતો કે ગામડામાં રહેતા હોય અને રામજી મંદિર કે શિવાલયની પૂજા કરતા હોય તેવા જરૂરિયાતમંદ પૂજારીઓના દીકરા દીકરીને અભ્યાસ કરાવવા માટે કંઈક કરવું જોઈએ જેના ભાગરૂપે માનવ મંદિર આશ્રમમાં જ આવા પુજારીઓના બાળકો માટે એક છાત્રાલયનું નિર્માણ કર્યું. જેમાં રહેવાનું જમવાનું વિનામૂલ્ય આપવું તેવા નિર્ધાર સાથે આ છાત્રાલય ના રૂમ તૈયાર થઈ ગયા છે દાતાઓના સહયોગથી ધીમે ધીમે કામ આગળ વધી ગયું છે અને આ છાત્રાલયના એક રૂમ માટે દિલીપ સંઘાણી દ્વારા પોતાના લઘુબંધુ સ્વર્ગસ્થ ચંદુભાઈ સંઘાણીના સ્મરણાર્થે ₹1,51,000 ભક્તિ બાપુને અર્પણ કરીને એક પ્રેરણાદાયી કામ કર્યું છે જો કે દિલીપ સંઘાણી રાજકારણ અને સહકાર ક્ષેત્રમાં ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે પોતાના જાહેર જીવન સમય દરમિયાન અનેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને લોકો માટે ભણતરની અને આરોગ્યની સેવા કરી છે તેમજ આ તેમની મુખ સેવાની નોંધ પણ લેવાની તેઓની હંમેશા ના હોય છે પરંતુ આ એક સેવાની મિસાલ લઈને બેઠેલા પાગલોને સાજા કરવાની જેમણે આમ લીધી છે એવા મનોરોગીઓના ઉદ્ધારક ભક્તિ બાપુની સેવામાં સહકાર નેતાએ છાત્રાલયના વિચારને વ્યાજબી અને યોગ્ય ગણાવી સહકાર આપ્યો છે તે ખૂબ જ નોંધપાત્ર કહી શકાય

Related Posts