ભાવનગર

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬ નવેમ્બરના રોજ યોજાશે

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો નવેમ્બર -૨૦૨૫નો તાલુકા/ગ્રામ ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬/૧૧/૨૦૨૫ના રોજ
સવારે ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે પોલીસ અધિક્ષકશ્રી ભાવનગરના અધ્યક્ષસ્થાને યોજાશે.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલમાં તા.૧૮/૧૧/૨૦૨૫
સુધીમાં રજાના દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો
મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટર સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાનાં
પ્રશ્નની જ આધાર- પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજૂઆતની અરજીઓ સ્વીકારવામાં
આવશે. સામૂહિક રજૂઆતો કરી શકશે નહીં તેમ ઘોઘા મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related Posts