અમરેલી જિલ્લાના તાર ફેન્સીંગ યોજનામાં પુર્વ મંજૂરી મેળવેલ છે તેવા તમામ લાભાર્થીઓને જણાવવાનું કે, પ્રથમ તબક્કામાં તા. ૦૭.૦૪.૨૦૨૫ થી તા. ૩૧.૦૮.૨૦૨૫ સુધી કુલ ૧૦૧૩ લાભાર્થીઓને પુર્વ મંજુરી આપેલ છે. જેમાં નિયત ડિઝાઈન અને સ્પેસિપિકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સીંગ બનાવવાની સંપૂર્ણ કામગીરી દિન ૬૦માં પૂર્ણ કરી સામાન ખરીદીના જી.એસ.ટી વાળા પાકા અસલ બીલો અને અન્ય જરૂરી દસ્તાવેજો સહિત સાધનિક કાગળો આપના સંબંધિત તાલુકાના વિસ્તરણ અધિકારી (ખેતી) તેમજ ગ્રામસેવકશ્રીને જમા કરાવવાના થાય છે.
વધુમાં સરકારની નીતિનિયમો અનુસાર તા. ૩૦.૧૧.૨૦૨૫ સુધીમાં જિલ્લા કક્ષાએ ક્લેમ રજૂ કરવામાં નહીં આવે તો તાર ફેન્સીંગ યોજનામાં સહાય મેળવવા માંગતા નથી તેવુ માનીને પુર્વમંજુરી અને અરજીને દફતરે (ફાઈલે) કરવામાં આવશે. જેની સઘળી તમામ જવાબદારી અરજદારશ્રીની રહેશે અને તે બાબતે સહાય માટે કોઈ દાવો કે માંગમી કરી શકાશે નહીં. અને તાર ફેન્સીંગ યોજનામાં પૂર્વ મંજુરી મેળવેલ તમામ ખેડૂતોએ નોંધ લેવી તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.




















Recent Comments