ગુજરાતમાં વાતાવરણમાં પલટો; વાવાઝોદૂ અને કમોસમી વરસાદના લીધે લોકોને ગરમીમાંથી આંશિક રાહત પણ મળી છે. બીજી બાજુએ ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે. તેમને ઉનાળુ પાકને લઈને ચિંતા છે. રાજ્યમાં જુદાં-જુદાં સ્થળોએ વીજળી પડવાથી કુલ બેના મોત થયા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામમાં વીજળી પડતા
છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાન વધુ એક મુશ્કેલીમાં થી પસાર થઈ રહ્યું છે, અફઘાનિસ્તાનમાં વરસાદના કારણે અચાનક આવેલા પૂરથી ગામડાઓ તબાહ થયા છે, અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારે વરસાદ બાદ પૂરના પાણીએ એટલો બધો વિનાશ કર્યો છે કે ગામડાઓ અને શહેરોમાં ખેતરો, રસ્તાઓ, મકાનો ધોવાઈ ગયા છે […]
હવામાન વિભાગ દ્વારા આગામી ૩-૪ દિવસ ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદી માહોલ રહે તેવી આગાહી કરી છે. ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્વાભાવિક રીતે વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આવેલી એક ફૂડ પ્રોસેસ કંપનીમાં કામ કરી રહેલા સાત જેટલા કર્મચારીઓ રવિવારની રજાના દિવસે પીપર ગામની સીમમાં આવેલા એક તળાવમાં નાહવા પડ્યા હતા જ્યાં ડૂબી જવાના કારણે જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના ગામના એક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. તેની સાથે ન્હાવા પડેલા અન્ય મિત્રોએ બચાવવાના અનેક પ્રયત્નો કર્યા હતા, પરંતુ બચાવી શક્યા ન […]
ગુજરાતમાં હાલ ભરઉનાળામાં વરસાદી માહોલ જામ્યો છે. કાળઝાળ ગરમી ની વચ્ચે રાજ્યના અનેક જીલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે, ગુજરાતમાં આગામી ૩ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા આજે સપ્તાહની શરૂઆતમાં જ ૨૬ જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છેપત્યારે વલસાડ,ભાવનગર,સાબરકાંઠા અને અંબાજીના વાતવરણમાં પલટો આવ્યો હતો.જેમાં બંને જીલ્લાઓમાં ભારે પવન સાથે […]
રાજકોટમાં સીટીબસ અને બીઆરટીએસનાં ચાલકો સોમવારે હડતાળ પર ઉતર્યા હતા તો બીજી તરફ બીઆરટીએસ રૂટ પરની પણ તમામ બસો બંધ રહેવા પામી હતી. બીઆરટીએસ તેમજ સીટી બસ ચાલકો દ્વારા તેઓની પડતર માંગોને લઈ હડતાળ કરી છે. હડતાળથી બીઆરટીએસમાં મુસાફરી કરતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.આ હડતાળ બાબતે બીઆરટીએસનાં એક કર્મચારીએ જણાવ્યું હતું કે, […]
ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છના મોત થતાં સન્નાટો છવાઈ ગયો છે. તબીબી વર્તુળો પણ સ્તબ્ધ છે. ગુજરાતમાં હાર્ટ એટેકથી થતો મોતનો સિલસિલો અટકવાનું નામ જ લઈ રહ્યો નથી. ગુજરાતમાં હાર્ટએટેકથી સુરતમાં એક જ દિવસમાં ત્રણ, ભરૂચમાં બે અને અમદાવાદમાં એકનું મોત થયું છે. આ સિવાય રેકોર્ડ બતાવે છે કે દર સાત મિનિટે એક ગુજરાતી હાર્ટએટેકનો […]
દેશની રાજધાની દિલ્હીમાં હોસ્પિટલ બાદ હવે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ ધમકીભર્યો ઈમેલ આવ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. એરપોર્ટ પર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. એક જ મેઈલ આઈડી પરથી હોસ્પિટલ અને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમેલ મોકલવામાં આવ્યો છે. આ ઈમેલ બપોરે ૩ વાગ્યાની આસપાસ મોકલવામાં આવ્યો […]
લોકસભાની ચૂંટણી તો પૂર્ણ થઈ પણ ભાજપમાં આંતરિક વિવાદ હોય તેવો એક કિસ્સો સામે આવ્યો હતો, અમરેલીના સાંસદે અમરેલી બેઠકના ઉમેદવારને લઈ બે દિવસ પહેલા ભડાશ કાઢી હતી. ત્યારે હવે અમરેલી બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુરતરીયાનો લેટર સામે આવ્યો છે. જેમાં તેમણે નારણ કાછડિયા ને કેટલી વાર થેંક્યું કહ્યું તે યાદ કરાવ્યું છે. અમરેલી ભાજપમાં […]
લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ મોટી સંખ્યામાં લોકોને ફુડ પોઈઝનીંગની અસર થતાં દોડધામ મચી જવા પામી હતી અને તમામ લોકોને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતાં જો કે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો પરંતુ અનેક લોકોને સારવાર લેવાની નોંબત આવી હતી. આ ફૂડ પોઈઝનીંગ ની ઘટના લીંબડીના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં […]
Recent Comments