fbpx
રાષ્ટ્રીય

બારેમાસ મસાલા ભરાવતા પરિવારો મુંઝાયા : ૩૦ ટકા સુધીનો ભાવ વધારો

હાલમાં રસોઈને સ્વાદિષ્ટ બનાવવા વપરાત મસાલાની સીઝન ચાલુ છે. જો કે મધ્યમ વર્ગ માટે આ વર્ષે બાર માસનું હળદર, ધાણા, જીરૃ, મરચું ભરવું મોટો આિાર્થક બોજો વાધારી દેશે આ વર્ષે બારેમાસ માટે ભરાતા મસાલાના ભાવમાં ૩૦ ટકા જેટલો વાધારો જોવા મળી રહ્યો છે. જિલ્લા માથક ભુજમાં મસાલાના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા વેપારીના જણાવ્યા પ્રમાણે સમગ્ર દેશમાં આંધ્ર પ્રદેશ અને કર્ણાટક રાજ્યમાંથી ૮પ ટકા મરચાનું ઉત્પાદન થાય છે. ગત ડિસેમ્બર માસમાં ઉપરા છાપરી બે વાવાઝોડા આવી પડતા મરચાનો પાક ખરી પડયો પાકમાં નુકશાની ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતા ભાવમાં વાધારો થયો છે. આ વર્ષે શિયાળો છેક હોળી સુધી ચાલ્યો સામાન્ય રીતે શિવરાત્રિ પછી ઠંડી તબક્કાવાર ઘટી જતી હોય છે. પરંતુ આ વર્ષે એવું ન બન્યું. ઠંડક અને ઝાકળ પડવાના કારણે ધાણા-જીરૃના પાકમાં પણ લોચો વળ્યો જેના કારણે ઉત્પાદનમાં મોટી ઘટ જોવા મળી. જો કે મરચા સહિતના મસાલાના ભાવ વધારા પાછળ પેટ્રોલ, ડિઝલ અને સીએનજીમાં થયેલો ભાવ વધારો પણ એક કારણ છે. ખેતીમાં હવામાન એ ઉત્પાદન ઘટવાનું અને ભાવ વાધારા માટેનું મુખ્ય કારણ ગણાય છે. અત્રે ઉલ્લેખનીય છે બે વર્ષ અગાઉ કેરળમાં થયેલા ભારે વરસાદના કારણે ઈલાયચીના પાકને મોટું નુકશાન થયું હતું અને એ સમયથી ઈલાયચીના ભાવમાં થયેલા ભાવ વધારામાં કોઈ ઘટ નથી આવી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/