યોજનાકીય માહિતી ઓનલાઈન ફોર્મ સવલત , પ્રશ્નોના ઉકેલ માટે જેશીંગપરા રામપરા મળશે પરામાં જ મદદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના વરદ્ હસ્તે મદદ કાર્યાલયનો પ્રારંભ
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/02/WhatsApp-Image-2021-02-17-at-5.24.12-PM-1.jpeg)
યુવાઅગ્રણી સંદિપ માંગરોળીયા દ્રારા નૂતન અભિગમ ટેકનોલોજીના યુગમાં અરજી – ફોર્મ વિગેરે મેળવવા અથવા તે અંગેની કામગીરી માટે સામાન્યમાં સામાન્ય માણસને અહીતહી ન ભટકવુ પડે તે માટેનો કાયમી ઉકેલ જેશીંગપરાના યુવા અગ્રણી સંદિપ માંગરોળીયાએ શોધીને શહેરના ખંતિલા વિસ્તાર એવા જેશીંગપરા ખાતે ” મદદ કાર્યાલય ” નો પ્રારંભ ભાજપ ચૂંટણી પ્રચારાર્થે આવતા કેન્દ્રીય મંત્રી – પ્રખર વકતા સ્મૃતિ ઈરાનીજીના વરદ્ હસ્તે કરવામા આવી રહેલ છે . મદદ કાર્યાલયના પ્રારંભથી જેશીંગપરા , રામપરા , રોકડ નગર , અંબિકાનગર સહિતના વિસ્તારને પરામાં જ મદદ મળી રહેતા સમય – નાણાનો બચાવ થતા આ વિસ્તારમાં આનંદ છવાયો છે અને સંદિપ ધાનાણીના આ જનસેવાના પ્રયાસને લોકો બિરદાવી શુભેચ્છાઓ પાઠવી રહયા છે . અત્રે એ ઉલ્લેખનીય છે કે , સંદિપ માંગરોળીયા લોકપ્રશ્ન સતત જાગૃત રહીને મદદરૂપ બનતા હોઈ , ભારે લોકચાહના ધરાવે છે તેવા સમયે તેમના દ્રારા મદદ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવતા આ વિસ્તારના લોકોની સેવામાં એક નવુ કદમ ઉમેરાયુ છે .
Recent Comments