લાઠી તાલુકાના માલવિયા પીપરીયામાં કોરોના રસીકરણ સત્રનું આયોજન
દેશના સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મતીરાળા માં સામેલ માલવિયા પિપરીયા અને અલિઉદેપુર ખાતે કોરોના રસીકરણ ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત 45 વર્ષ થી વધુ વય ના તમામ નાગરિકો ને કોરોના ની રસી આપવા માં આવી રહી છે. તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલિયા અને સરપંચ રાજુભાઈ ભૂતૈયા, રમેશભાઈ જોધાણી દ્વારા પોતાનું રસીકરણ કરાવી ગ્રામજનો ને પ્રેરણા પૂરી પાડી હતી. તેમજ સુચારુ રીતે રસીકરણ કાર્યક્રમ ચાલે તે હેતુ થી સાઈટ પર લોકો ને આરોગ્ય શિક્ષણ આપી લોકજાગૃતિ માટે ના પ્રયાસો કરતા બહોળા પ્રમાણ માં ઉત્સાહભેર વડીલો એ રસી મુકાવેલ છે. આ રસીકરણ ઝુંબેશ ને સફળ બનાવવા ડો. સાગર પરવડિયા ના નેતૃત્વ માં આરોગ્ય કર્મચારીઓ અનિતા વાઘેલા, યોગેશ પુરોહિત, આશા રાવલ અને સોનાલી માલવિયા ખૂબ જેહમત ઉઠાવી રહ્યા છે. તેમજ આવનારા દિવસો માં પણ વધુ માં વધુ લોકો આ રસીકરણ નો લાભ લે તેવી અપીલ કરેલ છે.
Recent Comments