અમરેલી જિલ્લાના પેન્શનરોએ ૩૧ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઇ કરાવવી
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/05/87371274_2632498330209994_4429609925114593280_o-1140x620-2-1140x620.jpg)
અમરેલી જિલ્લાના પેન્શન મેળવતા તમામ પેન્શનરોએ જે બેન્ક ખાતામાં પેન્શન જમા થતું હોય તે બેંકમાં રૂબરૂ જઈ ૩૧ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઇ કરાવવાની રહેશે.દર વર્ષે મે, જૂન, જૂલાઇ, માસમાં થતી હયાતીની ખરાઇ આ વખતે કોવિડ-૧૯ ના પગલે તા. ૩૧/૭/૨૦૨૧ સુધી મુદત વધારવામાં આવી છે. હાલ કોરોના મહામારીના કારણે સંક્રમણનું જોખમ હોય જેથી બેંકમાં ભીડ ન થાય તેમજ વધુ સંક્રમણ ન ફેલાય તેનું ધ્યાન રાખી હયાતીની ખરાઈ કરી વર્ષી૮ક આવકના દાખલ મેળવી લેવાના રહેશે.
Recent Comments