લાઠી તાલુકા ના રાભડા ગામે વિશ્વ પર્યાવરણ દીને ૫૦૦ વૃક્ષ ઉછેર નો સંકલ્પ કરતા યુવાનો
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/06/IMG-20210605-WA0042-1140x620.jpg)
લાઠી તાલુકા ના રાભડા ગામે વિશ્વ પર્યાવરણ દીને વૃક્ષારોપણ નાના એવા ગામે સૌથી મોટો સંદેશ છોડ માં રણછોડ ના મંત્ર સાથે ૫. જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે રાભડા ગામમાં ૫૦. વૃક્ષનું વાવેતર કર્યું.અને તેમનો ઉછેર થાય તેવા સંકલ્પ સાથે આજે લાઠી તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખશ્રી જનકભાઈ તળાવિયાભાજપ મહામંત્રી દિનેશભાઇ જમોડ, જીતુભાઇ માંડવીયા અને જયદીપભાઈ ચૌહાણ અને નાના બાળકો જોડાયા હતા. અને બાળકોને વૃક્ષના ફાયદા પણ સમજાવયા હતા.અને બધાએ સાથે નાસ્તો પણ કર્યો હતો. અને બધા બાળકોને પીકનીક જેવો આનંદનો અનુભવ થયો હતો. અને આવનારા સમયમાં ૫૦૦. થી વધુ વૃક્ષનું વાવેતર થાય તેવો સંકલ્પ લીધો હતો.અને વૃક્ષ આપણને ખુબ જ ઓક્સિજન આપે છે તે બધી વાતોની જાણકારી આપી હતી
Recent Comments