fbpx
અમરેલી

સાવરકુંડલામાં ઝૂંપડીમાં સૂતેલા આઠ મજૂરો પર ટ્રક કાળ બનીને ત્રાટકી

સાવરકુંડલા તાલુકાનાં બાઢડા ગામ પાસે રવિવારે મોડી રાતે આશરે ત્રણ વાગ્યાની આસપાસ ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં રોડની બાજુમાં ઝૂંપડા બાંધીને સૂતા પરિવાર પર બેકાબૂ ટ્રક ચડી જતા આઠ લોકોનાં મોત નીપજ્યા છે. આ સાથે ૪ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને ૧૨ લોકોને નાની મોટી ઇજા થઇ છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા મામલતદાર સહિતનાં અધિકારીઓ તથા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે મહુવા તરફ ટ્રક જતો હતો. ત્યારે ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટ્રક સાઈડ ડિવાઇડર કુદાવી પાસે આવેલા ૧૦ ફુટનાં ખાડામાં ઝૂંપડાઓ તરફ ધસી ગયો હતો. જેમાં રસ્તાની સાઇડમાં ઝૂંપડા બાંધી ઊંઘી રહેલા લોકો માથે ટ્રક ચડી જતા ૮ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૨ લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે. આ ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

સાવરકુંડલા પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી ટ્રક ડ્રાઈવર પરમાર પ્રવિણભાઈ દેવાભાઈ(રહે. રાજકોટ)ની ધરપકડ કરી છે. સાવરકુંડલના ડીવાયએસપી કે.જે. ચૌધરીએ સમગ્ર ઘટના અંગે વિગત આપતાં કહ્યું કે રાજકોટથી જાફરાબાદ જઈ રહેલું એક કન્ટેનર રોંગસાઈડમાં ધસી આવ્યું હતું અને રોડની સાઈડમાં ઝૂંપડા બાંધીની સૂતા લોકો પર કન્ટેનર ચઢાવી દીધું હતું. આ ઘટનામાં કુલ સ્થળ પર ૮ વ્યક્તિના મોત થયા છે. જેમાં એક જ પરિવારના પતિ-પત્ની અને તેની દીકરીઓ સહિત કુલ ૮ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. અકસ્માત સર્જીને ડ્રાઈવર ભાગવા જઈ રહ્યો હતો જાેકે તાત્કાલિક પકડાઈ ગયો હતો. ડ્રાઈવર વિરુદ્ધ સજ્ઞાત મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે તા.૦૯-૦૮-૨૦૨૧ ના રોજ રાત્રે આશરે ૨ઃ૩૦ કલાક આસપાસ રેલવે ફાટકની નજીક હોટલ દત પાસે આવેલ ઝૂંપડા વિસ્તારમાં ટ્રક (્‌ટ્ઠંટ્ઠ ૯૦૯ , ય્ત્ન૧૮-ૐ-૯૧૬૮) ઘૂંસી જતા અકસ્માત થયેલ છે.જેમાં નીચે મુજબના વ્યક્તિઓના મૃત્યુ તથા ઇજા પામેલ છેઃ

ગુજરાતના મુખ્યમંત્રીએ ટ્‌વીટ કરી લખ્યું કે, અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનાથી શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ આપી છે. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખની સહાય આપશે. સાથે જ ઝ્રસ્ રૂપાણીએ ટ્‌વીટમાં લખ્યું, કલેકટર અમરેલીને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી અહેવાલ મોકલવાનો આદેશ કર્યો છે. પ્રભુ મૃતકોના આત્માને સદ્‌ગતિ અર્પે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ…
મૃતકોનાં નામ
૧.વિરમભાઈ છગનભાઇ રાઠોડ (ઉ.વ. ૩૫)
૨.નરશીભાઈ વસનભાઈ સાંખલા (ઉ.વ. ૬૦)
૩. નવઘણભાઈ વસનભાઈ સાંખલા (ઉ.વ.૬૫)
૪.હેમરાજભાઈ રધાભાઈ સોલંકી (ઉ.વ. ૩૭)
૫. લક્ષમીબેન હેમરાજભાઈ સાખલા (ઉ.વ. ૩૦)
૬. સુકનબેન હેમરાજભાઈ સાખલા (ઉ.વ. ૧૩)
૭. પૂજાબેન હેમરાજભાઈ સાખલા (ઉ.વ ૮)
૮. લાલાભાઈ ઉર્ફે દાદુભાઈ ડાયાભાઇ રાઠોડ (ઉ.વ. ૨૦)

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/