અમરેલી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા તેમજ વિષ્ણુયાગ યજ્ઞ મહોત્સવમાં હાજરી આપતા કૃષિમંત્રી પટેલ
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/11/Pran-Pratishtha-6-1140x620.jpg)
ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલએ આજે અમરેલી લોહાણા મહાજન વાડી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા તેમજ વિષ્ણુયાગ યજ્ઞ મહોત્સવમાં હાજરી આપી હતી.
કૃષિમંત્રીશ્રીએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતિ નિમિતે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી ધન્યતા અનુભવું છું. પૂજ્ય જલારામ બાપાએ ભૂખ્યાને અન્ન આપવાના ભગીરથ કાર્ય કરી દુનિયાભરમાં નામ રોશન કર્યું છે. આ ભૂખ્યાને જમાડવાના સેવાકાર્યોને વધુમાં વધુ આગળ વધારીએ એ જ પૂજ્ય જલારામ બાપાને સાચી શ્રદ્ધાંજલિ છે.
આ અવસરે કૃષિમંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, પૂર્વ મંત્રી શ્રી બાવકુભાઈ ઉંધાડ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ ભાજપ પ્રમુખ ડો. કાનાબાર, અગ્રણી શ્રી જીતુભાઈ ડેર, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીના પ્રતિનિધિ જલ્પેશભાઈ મોવલીયા અને ભક્તજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments