અમરેલીનાં મહિલા વિકાસ ગૃહમાં સંસ્થાપુત્રી દયાબેનની સગપણ વિધિ યોજાઈ
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/12/SAGAY.jpg)
માંગલીક કાર્યોની હોશ માવતરને વધુ હોય આવો અવસર મહિલા વિકાસ ગૃહની બાળાને સંઘાણી પરિવારે હોશપૂર્વક સગપણ વિધી-વિધાનથી કરીને નવો રાહ ચીઘ્યો છે. મહિલા વિકાસ ગૃહની પુત્રી દયાબેન બાબુભાઈ સોલંકીનું સગપણ જયેશભાઈ બાબુભાઈ સાવલીયા સાથે કરવામા આવ્યું આ તકે માનવમંદિર, સાવરકુંડલાના મહંત ભકિતરામબાપુ, ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, એમ.ડી. ડો. આર.એસ. પટેલ, નગર પ્રમુખ મનિષાબેન રામાણી, સુરેશભાઈ શેખવા, તુષારભાઈ જોષી, બાબુભાઈ હિરપરા, ભાવેશભાઈ સોઢા, રાજેશભાઈ માંગરોળીયા, હરિભાઈ બાંભરોલીયા, રંજનબેન ડાભી, ભાવનાબહેન ગોંડલીયા, વિનુભાઈ રૈયાણી, તબીબો ડો. ઘાખડા, ડો. રામાનુજ, ડો. પરિખ, જીતુભાઈ ગોળવાળા તેમજ સામાજિક સંસ્થાઓ સારહી યુથ કલબ, અશ્વમેઘ ગૃપ, મારૂતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ વિગેરેના હજારો યુવાનો સહિત વિશાળ સંખ્યામા લોકોએ ઉપસ્થિત રહીને દયાબેન જયેશભાઈને શુભકામનાઓ પાઠવી હતી. સગપણ અને વિધિ-વિધાન માટેની જહેમત તેમજ પ્રસંગ અનુરૂપ આપવામા આવતી તમામ વસ્તુઓ માટે સંપૂર્ણ સહયોગ ચંદુભાઈ સંઘાણી, ગીતાબહેનસંઘાણીએ ઉઠાવેલ હતો. પધારેલા મહેમાનોને મો-મીઠા કરાવવામા આવેલ મહેમાનો અને મહાનુભાવોએ આર્શિવાદ પાઠવેલ આ માંગલીક અવસરે મહિલા વિકાસ ગૃહના હોદેદારો મિતાબેન વાઘાણી, તરૂલતાબેન વ્યાસ, હરેશભાઈ, મનસુખભાઈ હાજર રહયા હતા તેમ સંસ્થાની યાદીમા જણાવાયેલ છે.
Recent Comments