૩૦ જાન્યુઆરીના શહીદ દિવસ નિમિત્તે સવારે ૧૧ વાગે બે મીનીટનું મૌન પળાશે
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/01/images-1-1.jpg)
શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહન વ્યવહારની ગતિ બે મિનિટ માટે બંધ રખાશે
સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદોનું ઋણ અદા કરવાનો નમ્ર પ્રયાસ
દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજે ૩૦મી જાન્યુઆરી-૨૦૨૨ રવિવારે સવારે ૧૧ કલાકે બે મીનીટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહૂતિ આપના શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવા અને આખા દેશમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહન વ્યવહારની ગતિ બે મીનીટ પુરતી બંધ રાખવામાં આવશે.
આજે ૩૦મીએ શહીદ દિને સવારે ૧૧ કલાકે સમગ્ર અમરેલી જિલ્લામાં બે મીનીટ મૌન પાળવા અને કામકાજ તેમજ વાહન વ્યવહારની ગતિ તેટલો સમય બંધ રાખવાની રહેશે. જે સ્થળે સાયરનની વ્યવસ્થા કે સેનાની તોપની વ્યવસ્થા હોય ત્યાં સવારે ૧૦.૫૯ કલાકે એક મીનીટ માટે એટલે કે ૧૧ કલાક સુધી સાયરન કે તોપ ફોડી બે મીનીટ મૌન પળાશે અને બે મીનીટ બાદ એટલે કે ૧૧.૦૨ થી ૧૧.૦૩ વાગ્યા સુધી સાયરન ફરીથી વાગતા રાબેતા મુજબ કામકાજ શરૂ કરવું. જે સ્થળોએ સાયરન કે સંકેતની વ્યવસ્થા ન હોય ત્યાં ૧૧ કલાકે બે મીનીટ મૌન પાળવા સબંધિતોને જાણ કરવા આદેશો બહાર પાડવાના રહેશે.
Recent Comments